સુરત : વિદ્યાર્થીઓના સીનસપાટા સામે પોલીસે કરી કાર્યવાહી,12 જેટલી લક્ઝરી કાર જપ્ત

સુરતના ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ફંક્શન પહેલા કાર રેલી યોજી હતી.જેનો વિવાદ સર્જાયો હતો,અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા 12 જેટલી લક્ઝરી કાર ડિટેઇન કરી હતી.

New Update
  • વિદ્યાર્થીઓના સીનસપાટા સામે પોલીસ એક્શનમાં

  • 30 લકઝરી કારમાં કાઢી હતી રેલી

  • પોલીસે 12 જેટલી કાર જપ્ત કરીને શરૂ કરી તપાસ

  • વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં લઇ હાલ કાર ડિટેઇન કરાઈ

  • વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે નહીં એ બાબતે તપાસ કરાશે

સુરતના ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલના ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓએ ફેરવેલ ફંક્શન પહેલા કાર રેલી યોજી હતી.જેનો વિવાદ સર્જાયો હતો,અને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવતા 12 જેટલી લક્ઝરી કાર ડિટેઇન કરી હતી.

સુરતના જહાંગીરપુરાના ડી-માર્ટ થી ઓલપાડની ફાઉન્ટન હેડ સ્કૂલ સુધી કાઢેલી 30 લક્ઝરી કાર સાથેની રેલી દરમિયાન શુટ-બુટમાં સજ્જ વિદ્યાથીઓ કારના સનરૂફ માંથી માથું બહાર કાઢીને જોરજોરથી મ્યુઝિક વગાડતા હતા.આ સાથે ટ્રાફિક નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા જોવા મળ્યા હતા.વિદ્યાર્થીઓની આ રેલી સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી છે.પોલીસ દ્વારા આ ઘટનામાં 12 જેટલી લક્ઝરી કાર ડિટેઇન કરવામાં આવી છે,અને અન્ય કારને જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પણ પોલીસ દ્વારા હાલમાં ફક્ત કાર જ જપ્ત કરવામાં આવી છે.વધુમાં આ કાર વિદ્યાર્થી જ ચલાવતા હતા કે અન્ય કોઈ તે સંદર્ભે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. 

Read the Next Article

સુરત : શહેરમાં ખાડીપૂર બાદ રોગચાળાની સ્થિતિ,ઝાડા,ઉલટી,તાવ સહિતના કેસોમાં વધારાથી ફફડાટ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

New Update
  • ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ

  • ઝાડા ,ઉલટીતાવ સહિતના દર્દીઓમાં વધારો

  • મલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો

  • આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા શરૂ કરાઈ કાર્યવાહી

  • સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ

સુરતમાં ખાડીપૂર બાદ રોગચાળાએ માથું ઉંચકતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.શહેરમાં ઝાડા,ઉલટી,મલેરિયા,ડેન્ગ્યુ સહિતની બીમારીમાં લોકો સપડાતા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે.

સુરતમાં ખાડીપુર બાદ શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી છે.ઝાડા ,ઉલટી,તાવ મેલેરિયા,ડેન્ગ્યુ તાવ તેમજ ગેસ્ટ્રોના કેસમાં વધારો નોંધાયો છે.શહેરમાં જ્યાં ખાડીપુરના પાણી ઉતરી ગયા બાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની 36 ટીમ દ્વારા આરોગ્ય લક્ષી કામગીરી શરૂ કરવામાં આવી છે.શહેરમાં ખાડીપૂર અસરગ્રસ્ત વિસ્તારોમાંથી સામાન્ય ઝાડાના 250 કેસ તેમજ તાવના 400 કેસ નોંધાયા છે.સિવિલ હોસ્પિટલની OPDમાં 400થી વધારે કેસ આવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.મનપાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે કોઈ બીમારના લક્ષણ  દેખાય તો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા માટે જણાવવામાં આવ્યું છે.