સુરત: વિજયા દશમીના પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ, 65 ફૂટના રાવણના પૂતળાનું કરાશે દહન

સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

New Update

સુરતમાં વિજયા દશમીના પર્વની ઉજવણીની તૈયારીઓ 

વેસુના વિશાળ રામલીલા મેદાનમાં થશે રાવણ દહન 

65 ફૂટનાં રાવણ સહિત કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું કરાશે દહન

કારીગરો દ્વારા પૂતળાને આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ 

મથુરાના મુસ્લિમ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યા છે પૂતળા  

સુરત શહેરમાં રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા 40 દિવસોથી શરૂ કરી દેવામાં આવી છે,જેને હાલ આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

સુરત શહેરના વેસુ ખાતેના રામલીલા મેદાનમાં દશેરાના દિવસે 65 ફૂટ ઉંચા રાવણના પૂતળાનું દહન કરવામાં આવશે. રાવણના આ પૂતળાનું મોટાભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે એ માટે સુરતમાં છેલ્લા 35 વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પૂતળું બનાવે છે.રાવણ,કુંભકર્ણ અને મેઘનાદના પૂતળા વાંસ,કાગળ સહિતના મટિરિયલનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે,અને કારીગરો દ્વારા પૂતળાને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.વિજયા દશમી, ના દિવસે વેસુ વિસ્તાર ખાતે વિશાળ મેદાનમાં અહંકારી રાવણનું મહાકાય પૂતળાનું દહન કરવામાં આવશે. જેમાં ભારે આતશબાજી પણ જોવા મળશે. રામ મંડળી દ્વારા આ માટે અદભુત આયોજન કરવામાં આવ્યું છે.જ્યાં મેદાનમાં રાવણના 65 ફૂટ પૂતળાની સાથે અલગ અલગ પૂતળા પણ તૈયાર કરવામાં આવ્યા છે. આ અદભુત નજારો જોવા શહેરીજનોની વિશાળ મેદની દશેરાના દિવસે ઉમટશે અને રાવણ દહનનો નજારાનો લાભ ઉઠાવશે.
#CGNews #Surat #celebrations #Ravan #Vijaya Dashami #Dussera
Here are a few more articles:
Read the Next Article