સુરત : રૂ. 5 કરોડની લૂંટ ચલાવનાર લૂંટારુઓ વલસાડથી ઝડપાયા

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતા,

New Update

રાંદેર વિસ્તારમાંથી થયેલી રૂ. 5 કરોડની લૂંટનો મામલો

લૂંટ ચલાવનાર 4 લૂંટારુની પોલીસ દ્વારા ધરપકડ કરાય

લૂંટની જાણ થતાં જ વલસાડ પોલીસે નાકાબંધી ગોઠવી

ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે 4 આરોપીને ઝડપી પાડ્યા

લૂંટ મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય

સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી રૂ. 5 કરોડની થયેલી લૂંટના મામલે પોલીસે 4 લૂંટારુઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સુરત શહેરના રાંદેર વિસ્તારમાં લૂમ્સના વૃદ્ધ કારખાનેદાર પોતાના બ્લેકના પૈસા વ્હાઈટ કરવા માટે ઘરેથી શ્રીકાંત અને શૈલેન્દ્ર નામના બંને વચેટિયાઓને કારમાં લઈને જતા હતાત્યારે આ રૂપિયા આપવા માટે પોતાના બંગલાથી 100 મીટર દૂર ગયા હતા. આ રૂપિયાની સામે વૃદ્ધને RTGS મારફતે વ્હાઇટ એન્ટ્રી મળવાની હતી. પરંતુ MH-01-AV-2304 નંબરની ઇનોવા કારમાં આવેલા 2 શખ્સે કારમાંથી પૈસાના થેલા પોતાની કારમાં મુકી દીધા હતાઅને ત્યારબાદ વૃદ્ધની કારમાં બેઠેલા શ્રીકાંત અને શૈલેન્દ્રને પણ પોતાની કારમાં બળજબરીથી બેસાડી ત્યાંથી ભાગી છૂટ્યા હતા.

સુરતમાં બનેલી લૂંટની ઘટનાની જાણ વલસાડ પોલીસની ટીમને મળતા વલસાડ જિલ્લાના તમામ મુખ્ય માર્ગો ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવી હતી. જે દરમિયાન બાતમીવાળી કાર આવતા વલસાડ જિલ્લા પોલીસની ટીમે બગવાળા ટોલ નાકા પાસે પોલીસની નાકાબંધી જોઈને આરોપીઓ રોંગ સાઈડ ઉપર ભાગી ગયા હતા. જોકેવલસાડ LCB પોલીસની ટીમે ફિલ્મી ઢબે પીછો કરી 45 મિનિટની અંદર જ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. વલસાડ જિલ્લા પોલીસની ટીમે કાર4.55 કરોડ રોકડા અને આરોપીઓનો કબજો સુરત પોલીસને સોંપ્યો છેત્યારે હાલ તો સમગ્ર મામલે સુરત પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.