સુરત: લિવ ઈનમાં રહેતી મહિલાની હત્યા કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો,જુઓ પોલીસે કોની કરી ધરપકડ

કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લિવ ઇનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘૂસી ગળું કાપી ઘાતકી હત્યા

New Update
સુરત: લિવ ઈનમાં રહેતી મહિલાની હત્યા કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો,જુઓ પોલીસે કોની કરી ધરપકડ

સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લિવ ઇનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘૂસી ગળું કાપી ઘાતકી હત્યા તેના પતિએ જ કરી હોવાનો પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ ગૌતમ પાર્ક સોસાયટી મકાન નંબર 158 ના પહેલા માળે મૂળ મહેસાણાના વતની પ્રકાશ પટેલ સાથે લીવ ઈન માં રહેતી મૂળ નેપાળની 30 વર્ષીય સ્નેહલતા બનવારીની ઘરમાં ઘૂસી ગળું કાપી ઘાતકી હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો.

લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો પ્રકાશ રોજ બપોરે વિડીયો કોલ કરી મહિલા સાથે વાત કરતો હતો જોકે ગત બપોરે સ્નેહલતા એ ફોન નહિ ઉચકતા પડોશીને તપાસ કરવા મોકલ્યો ત્યારે તેની લાશ પાસે તેમની જ એક વર્ષની બાળકી ખુશી બેઠેલી હતી બનાવની જાણ થતાં દોડી ગયેલા ગયેલી કાપોદ્રા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા પ્રકાશની જ ઉલટ તપાસ શરૂ કરી હતી જેમાં પ્રકાશે ગુનાની કબૂલાત કરી હતી. પત્ની અવારણવાર રૂપિયા માટે દબાણ કરતી હોય માનસિક ત્રાસથી કંટાળી તેની હત્યા કરી દીધી હતી અને પોલીસને ગુમરાહ કરવા તરકટ રચ્યું હતું.

Read the Next Article

સુરતના એકમાત્ર “પ્લાસ્ટિક મુક્ત” અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું...

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

New Update

નાગરિકો માટે પોલીસ સેવા સુલભ બને તેવું આયોજન

સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત અલથાણ પોલીસ સ્ટેશન

અલથાણ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરાયું

પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની વિશેષ વ્યવસ્થા

સુરત જિલ્લાના નાગરિકોને ઝડપી ન્યાય મળે અને સરળતાથી પોલીસ સેવા સુલભ બને તે માટે અલથાણ પોલીસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અલથાણ પોલીસ સ્ટેશન સુરતનું એકમાત્ર પ્લાસ્ટિક મુક્ત પોલીસ સ્ટેશન તેમજ સોલાર પાવર સિસ્ટમથી સંચાલિત છેત્યારે આ પોલીસ સ્ટેશનમાં રેઇન વોટર હારવેસ્ટિંગની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અલથાણ પોલીસ સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું. ગૃહ રાજ્યમંત્રીએ રાજ્યમાં શાંતિસુરક્ષા સલામતીના મૂળમાં ઉત્તમ કાયદો અને વ્યવસ્થા તેમજ ન્યાયની આશામાં પોલીસ સ્ટેશને આવતા ફરિયાદી તથા આમ નગારિક નિરાશ ન થાય તેમજ નાગરિકોની સમસ્યાઓફરિયાદોમાં અલથાણ પોલીસ સ્ટેશન મદદરૂપ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. આ લોકાર્પણ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશ પટેલસંદીપ દેસાઈધારાસભ્ય સંગીતા પાટીલસુરત શહેર પોલીસ કમિશનર સહિત પોલીસ અધિકારીઓસામાજિક આગેવાનો  સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories