સુરત: ટ્રાવેલ્સની બસનાં ચાલકે બસમાં જ મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

અમરેલી જિલ્લાના લાઠી થી સુરત આવવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની હતી,

New Update

સુરતની મહિલા બની દુષ્કર્મનો શિકાર

ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે આપ્યો દુષ્કર્મને અંજામ

પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં જ દુષ્કર્મ આચર્યું

લાઠીથી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી

મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લાના લાઠી થી સુરત આવવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની હતી,બસના ચાલકે મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપીને પોતાની હવસ સંતોષી હોવા અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
સુરત શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના સાત વર્ષના પુત્ર સાથે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી મારૂતિનંદન ટ્રાવેલ્સની બસમાં સુરત પરત આવી રહી હતી,જોકે બસ ચાલક દ્વારા મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને ચાલુ બસે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું,જે ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ કાપોદ્રા પોલીસ મથકમાં ખાનગી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી,અને જણાવ્યું હતું કે સુરત થી લાઠી જતી વખતે બસની ટિકિટ પર લખેલા મારા મોબાઈલ નંબર પર બસનો ચાલક વારંવાર ફોન કરીને હેરાનગતિ કરતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું.પોલીસે મહિલાની ફરિયાદને આધારે બસ ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 
Read the Next Article

સુરત : રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના યોગ દિવસની ઉજવણી કરાય...

21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

New Update
  • સરસાણા ડોમ ખાતે 11મા વિશ્વ યોગ દિવસની ઉજવણી

  • રાજ્યના વન-પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની ઉપસ્થિતિ

  • જિલ્લાકક્ષાની ઉજવણીમાં મોટી સંખ્યામાં યોગવીરો જોડાયા

  • સાંસદધારાસભ્યો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા

  • આજરોજ અંદાજે 4.50 લાખથી નાગરિકો યોગમય બન્યા 

સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત 11મા વિશ્વ યોગ દિવસની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આજે તા. 21 જૂન વિશ્વભરમાં 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઊજવવામાં આવી રહ્યો છે. ત્યારે સુરતના સરસાણા ડોમ ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાત’ થીમ અંતર્ગત વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાકક્ષાની ઉજવણીમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વિતામુક્ત ગુજરાતની થીમ પર કેન્દ્રિત રહી હતીજેનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરવાનો હતો.

આ ઉજવણીમાં શહેરની સામાજિક સંસ્થાઓશાળા-કોલેજના વિદ્યાર્થીઓઅને પાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સુરત જિલ્લામાં યોગ દિવસની ઉજવણીમાં 3200થી વધુ સ્થળોએ અંદાજે 4.50 લાખથી વધુ નાગરિકો યોગમય બન્યા હતા. આ વિશાળ જનભાગીદારી યોગ પ્રત્યે લોકોમાં વધતી જાગૃતિ અને તેને દૈનિક જીવનનો ભાગ બનાવવાની ઈચ્છા દર્શાવે છે.

સામૂહિક યોગાભ્યાસ દ્વારા સમાજમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનો સંદેશ ફેલાવવામાં આવ્યોજે એક પૃથ્વી એક શ્વાસના વૈશ્વિક સંદેશને મૂર્તિમંત કરે છે. સામૂહિક યોગાભ્યાસ કાર્યક્રમ સુરતના નાગરિકોની એકતા અને સ્વાસ્થ્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતીક બન્યો હતો. આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલધારાસભ્યોકલેકટરપાલિકા કમિશ્નરપોલીસ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.