સુરત: ટ્રાવેલ્સની બસનાં ચાલકે બસમાં જ મહિલા સાથે દુષ્કર્મ આચરતા ચકચાર

અમરેલી જિલ્લાના લાઠી થી સુરત આવવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની હતી,

New Update

સુરતની મહિલા બની દુષ્કર્મનો શિકાર

ખાનગી ટ્રાવેલ્સની બસના ચાલકે આપ્યો દુષ્કર્મને અંજામ

પુત્રને મારી નાખવાની ધમકી આપી ચાલુ બસમાં જ દુષ્કર્મ આચર્યું

લાઠીથી મારુતિ નંદન ટ્રાવેલ્સની બસમાં મહિલા સુરત પરત ફરી રહી હતી

મહિલાની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી

અમરેલી જિલ્લાના લાઠી થી સુરત આવવા માટે ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરતી મહિલા દુષ્કર્મનો શિકાર બની હતી,બસના ચાલકે મહિલાના બાળકને મારી નાખવાની ધમકી આપીને પોતાની હવસ સંતોષી હોવા અંગેની ફરિયાદ પોલીસ મથકમાં નોંધવામાં આવી છે.
સુરત શહેરના પર્વત પાટીયા વિસ્તારમાં રહેતી મહિલા પોતાના સાત વર્ષના પુત્ર સાથે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી મારૂતિનંદન ટ્રાવેલ્સની બસમાં સુરત પરત આવી રહી હતી,જોકે બસ ચાલક દ્વારા મહિલાને તેના પુત્રને મારી નાખવાની ધમકી આપીને ચાલુ બસે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું,જે ઘટના અંગે ભોગ બનનાર મહિલાએ કાપોદ્રા પોલીસ મથકમાં ખાનગી બસના ચાલક સામે પોલીસ ફરિયાદ દર્જ કરાવી હતી,અને જણાવ્યું હતું કે સુરત થી લાઠી જતી વખતે બસની ટિકિટ પર લખેલા મારા મોબાઈલ નંબર પર બસનો ચાલક વારંવાર ફોન કરીને હેરાનગતિ કરતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં નોંધવામાં આવ્યું હતું.પોલીસે મહિલાની ફરિયાદને આધારે બસ ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. 
Read the Next Article

સુરત : ખાડીપૂરની સમસ્યાના હલ માટેની કવાયત,કાયમી નિરાકરણ માટે હાઈ પાવર કમિટીની કરાશે રચના

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

New Update
  • ખાડીપૂરની સમસ્યાથી લોકો છે પરેશાન

  • તાજેતરમાં જ ખાડીપુરે સર્જી હતી તારાજી

  • ખાડીપૂરની સમસ્યાના નિરાકરણ માટે કવાયત

  • કેન્દ્રીય મંત્રીના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક

  • હાઈ પાવર કમિટીની કરવામાં આવશે રચના  

સુરત અને આસપાસના વિસ્તારોમાં ખાડીપૂરની વર્ષો જૂની સમસ્યાના કાયમી ઉકેલ માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની સૂચનાથી એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે.

સુરતમાં છેલ્લા 7 વર્ષથી ખાડીપૂરને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે અને છેલ્લા બે વર્ષમાં ખાડીપૂરમાં 6 લોકોના મોત પણ થયા છે. આ ગંભીર સમસ્યાના નિવારણ માટે સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીપાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલ અને આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ,સાંસદ પ્રભુ વસાવાના અધ્યક્ષસ્થાને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક અંદાજે અઢી કલાક ચાલી હતી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ માટે આ પ્રકારની બેઠક પ્રથમવાર યોજાઇ હતી.

બેઠકમાં અધિકારીઓ દ્વારા તમામ ખાડીઓની ભૌગોલિક સ્થિતિનું મેપ દ્વારા વિસ્તૃત પ્રેઝન્ટેશન મંત્રીઓને આપવામાં આવ્યું હતું. શહેરમાં ભારે વરસાદથી રસ્તાઓ પર ભરાતા પાણી અને ખાડીપૂરના કાયમી નિરાકરણ પર ગહન ચર્ચા કરવામાં આવી હતી.ખાડી ડાયવર્ઝન અને ડ્રેજિંગ જેવા મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકીને ચર્ચા કરાઈ હતી.

સૌથી મહત્વપૂર્ણ નિર્ણય તરીકે એક હાઈ-પાવર કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં કેન્દ્ર સરકારના એક અને રાજ્ય સરકારના ત્રણ મંત્રીઓ ઉપરાંત પાલિકાકલેક્ટરસિંચાઈવન વિભાગ સહિતના તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓનો સમાવેશ થશે.