201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ આવ્યા હતા સુરત
પારસી અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયા હતા ભગવાન
ભગવાને શ્રીફળ અને પોતાની પાઘ કોટવાળને ભેટમાં આપી
ભગવાનની પાઘ તેમનું માથું હોય તે રીતે કરવામાં આવતું જતન
દરવર્ષે ભાઈબીજના દિવસે ભગવાનની પાઘના દર્શનનો મહિમા
201 વર્ષ પહેલા ભગવાન સ્વામિનારાયણ દ્વારા સુરતના સૈયદપુરા વિસ્તારમાં રહેતા પારસી વાડિયા પરિવારને ભેટમાં પાઘડી આપવામાં આવી હતી, ત્યારે દર વર્ષે ભાઈબીજના દિવસે આ પાઘડીના દર્શનનો શ્રદ્ધાળુઓમાં અનેરો મહિમા રહ્યો છે.
ઇ.સ. 1881માં સુરત ખાતે પધારેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યા હતા. જે આજે 201 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે, અને તેનું જીવની જેમ જતન કરે છે. ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતા આ પારસી પરિવાર પ્રેમથી પાઘના દર્શન સૌ કોઈને કરાવે છે. એક ધાર્મિક આસ્થા પ્રમાણે આ પાઘડી કોઈ સામાન્ય નહીં પણ સદીઓ પૂર્વે સ્વામીનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 201 વર્ષ પૂર્વે સ્વામીનારાયણ ભગવાન સુરત આવ્યા હતા. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને સંવંત 1881ના માગશર સુદ ત્રીજે પરત જતા અગાઉ કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ ભેટમાં આપી હતી, ત્યારથી આ પાઘડીને સુરતમાં આજદિન સુધી સેવા કરી સાચવામાં આવી છે.
પ્રકાશના પર્વ દિવાળી બાદ આવતા પાવન પર્વ ભાઈબીજના દિવસે સુરત શહેરમાં એક એવી અલૌકિક ધાર્મિક ઘટના આકાર પામે છે, જે હિન્દુ અને પારસી ધર્મ વચ્ચેના અનોખા અને અખંડ પ્રેમનો પુરાવો છે. જોકે, હયાત ત્રીજી પેઢી તેમના જીવની જેમ પાઘડીનું જતન કરી રહી છે. મૂળ આ પરિવાર પારસી કોમ્યુનીટીનું છે. છતાં તેઓ વર્ષોથી પોતાના ધર્મ સાથે સ્વામિનારાયણ ધર્મને અપનાવ્યો છે, ત્યારે સૈયદપુરા વિસ્તારમાં રહેતા વાડિયા પરિવારે પાઘ માટે અલાયદો રૂમ બનાવ્યો છે. જેમાં નુકશાન ન પહોંચે તે રીતે લાકડાની પેટીમાં પાઘને સાચવી રાખી છે, અને દર વર્ષે ભાઈબીજના દિવસે પાઘના દર્શન કરાવે છે. આ સાથે પોતે પણ રોજ સવારે પાઘની પૂજા કરે છે. પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. એટલું જ નહીં, શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.