સુરત : રાંદેરમાં લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામ,સામાન્ય ઝઘડામાં પ્રેમીએ પ્રેમિકાને ઠંડે કલેજે મોતને ઘાટ ઉતારી

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામની ઘટનાથી ભારે ચકચાર મચી છે. બે વર્ષ પૂર્વે ઘરેથી ભાગીને પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીની પ્રેમીએ ઠંડે કલેજે હત્યા કરી હતી,

New Update
  • લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામ

  • 20 વર્ષીય યુવતીને મળ્યું મોત

  • બે વર્ષ પહેલા પ્રેમી સાથે ભાગીને આવી હતી

  • ઘરકંકાસમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા

  • પોલીસે આરોપી પ્રેમીની કરી ધરપકડ 

સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં લિવ ઈન રિલેશનશિપનો કરૂણ અંજામની ઘટનાથી ભારે ચકચાર મચી છે. બે વર્ષ પૂર્વે ઘરેથી ભાગીને પ્રેમી સાથે રહેતી 20 વર્ષીય યુવતીની પ્રેમીએ ઠંડે કલેજે હત્યા કરી હતી,પોલીસે આરોપી પ્રેમીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી.

સુરતમાં પ્રેમિકાની ચકચારી હત્યા અંગેની જાણવા મળતી માહિતી અનુસાર,મુળ દાહોદના વતની અને હાલમાં પાલનપુર જકાતનાકા ખાતે આવેલી શ્રીજી નગર સોસાયટીમાં રહેતો રાહુલ મચ્છર મજૂરી કામ કરે છે. રાહુલની સાથે 20 વર્ષીય અસ્મિતા અને એક પુત્રી પણ રહે છે. રાહુલ અસ્મિતાને વતનથી બે વર્ષ પહેલા ભગાડીને સુરત લઈ આવ્યો હતો. ત્યારથી બંને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. અસ્મિતા સોમવારે સવારે ઘરના રૂમમાં બેડ પર બેભાન હાલતમાં મળી આવી હતી. આ સમયે રાહુલ ઘરમાં હાજર ન હતો.

અસ્મિતાના મામા જે નજીકમાં જ રહે છેતેને અસ્મિતાના ઘર પાસે લોકોનું ટોળું એકઠું થયેલું જોઈને ઘટનાની જાણ થઈ હતી. તેણે જોયું હતું કેઅસ્મિતાના ગળા પર નખના નિશાન જેવી ઈજાઓ હતી. અસ્મિતાને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકેફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. ઘટનાની જાણ થતાં રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઈ અને એસીપી નવી સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરિવારે અસ્મિતાની હત્યા રાહુલે જ કરી હોવાના પરિવારના આક્ષેપોને પગલે તપાસ શરૂ કરી હતી. જોકેબાદમાં ફોરેન્સિક પીએમમાં સ્પષ્ટ થયું હતું કે રાહુલે જ ગળેટૂંપો આપીને અસ્મિતાની હત્યા કરી છે.પરિવારની આ શંકા આખરે સાચી પડી હતી અને રાહુલે જ અસ્મિતાની હત્યા કર્યાનું બહાર આવ્યું હતું.

રાંદેર પોલીસે આરોપી પ્રેમી રાહુલ મચ્છરની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી.અને વધુ તપાસ શરૂ કરી હતી.

Read the Next Article

સુરત : સંતાનોની ફી સહાય મેળવવા રત્નકલાકાર સહાય પેકેજ યોજના, 300 સ્કૂલમાં 65 હજાર ફોર્મ ભરાયા...

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા

New Update
  • રત્ન કલાકારો માટે સહાય યોજનાની પ્રક્રિયા પૂર્ણ

  • 55 હજારથી વધુ રત્ન કલાકારોએ ભર્યા હતા ફોર્મ

  • પોતાના બાળકોની ફી માટે ફોર્મ ભરવામાં આવ્યા

  • વિદ્યાર્થી દીઠ રૂ. 13,500 ચૂકવવા સરકારનો નિર્ણય

  • તમામ ફોર્મ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવાયા

સુરત શહેર તથા જિલ્લામાં રત્નકલાકારોના સંતાનોની ફી ભરવા માટે રાજ્ય સરકારે જાહેર કરેલી સહાય યોજનામાં 300 સ્કૂલના 55 હજારથી વધુ રત્નકલાકારોએ 65 હજાર ફોર્મ ભર્યાં છે. હવે ડાયમંડ એસોસિએશનમાંથી ભલામણ પત્રો મેળવ્યા બાદ ફોર્મની સ્ક્રુટિની કરી ચકાસણી કરવામાં આવશે.

સુરતના ડાયમંડ ઉદ્યોગના ઈતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે. છેલ્લાં 3 વર્ષથી મંદી હોવાથી અનેક રત્નકલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા. જેથી રત્કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી. જેમાં જે રત્નકલાકારોની 31 માર્ચ-2024 પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ 13,500 રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી.

તા. 23 જુલાઇ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતોત્યારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતીજેમાં શહેરની અંદાજે 300 સ્કૂલના 55 હજાર રત્નકલાકારોએ સંતાનોની ફી ભરવા માટે 65 હજાર ફોર્મ ભર્યાં હતા. ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વિકારાશે નહીં. રોજગાર છૂટી ગયો હોય તેવા રત્નકલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

અપેક્ષા કરતાં વધારે ફોર્મ ભરાયાં છેજેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે. ત્યારબાદ જેમ જેમ સ્ક્રૂટિની થતી જશે તેમ તેમ સહાયની રકમ આપવામાં આવશે. તો બીજી તરફતમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મને સુરત ડાયમંડ એસોસિએશનમાં મોકલશે. જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવી આપશે. જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીમાં કર્મચારી કામ કરતા હતા કેનહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે તેવું ડાયમંડ વર્કર યુનિયન તરફથી જાણવા મળ્યું છે.