સુરત: કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની લીધી મુલાકાત

સુરતના કિમ ખાતે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી

New Update
  • સુરતની મુલાકાતે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ

  • અમદાવાદ મુંબઈ વચ્ચે દોડશે બુલેટ ટ્રેન

  • બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંગે કરી સમીક્ષા

  • અત્યાધુનિક ટ્રેક સ્લેબનું કરવામાં આવી રહ્યું છે નિર્માણ

  • જાપાનીઝ સ્ટાન્ડર પ્રમાણે ચાલી રહી છે કામગીરી

સુરતના કિમ ખાતે આવેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી.અને કામગીરીની સમીક્ષા કરી હતી. સુરતના કિમ ખાતે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીની કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મુલાકાત લીધી હતી.આ પ્રસંગે રેલવેના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ મુલાકાત દરમિયાન મંત્રી અશ્વિની વૈષ્ણવે ફેક્ટરીમાં ચાલતી કામગીરીની સમીક્ષા કરી  હતી.તેમજ મંત્રી વૈષ્ણવે ફેક્ટરીમાં કામ કરતા કારીગરો સાથે પણ સંવાદ કર્યો હતો.આ બુલેટ ટ્રેન મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં અત્યાધુનિક ટ્રેક સ્લેબનું નિર્માણ કરવામાં આવે છે.

અને આ ટ્રેક સ્લેબ જાપાનની ટેક્નોલોજી પ્રમાણે જાપાનીઝ સ્ટાન્ડર પ્રમાણે બનાવવામાં આવી રહ્યા છે.મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મુલાકાત દરમિયાન અમદાવાદથી મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન વહેલી તકે દોડવા માંડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

Read the Next Article

“તેરા તુજકો અર્પણ” : રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી કાઢી મૂળ માલીકોને પરત કરતી સુરતની કાપોદ્રા પોલીસ...

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

New Update
  • પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અભિયાન

  • ચોરી અને ગુમ થયેલ મોબાઈલ શોધી લેવામાં આવ્યા

  • કાપોદ્રા પોલીસ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરાય

  • રૂ. 5.45 લાખના મોબાઈલ શોધી મૂળ માલીકોને સુપ્રત

  • લોકોએ પોલીસ વિભાગનો વિશેષ આભાર વ્યક્ત કર્યો

સુરતની કાપોદ્રા પોલીસે ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન શોધી કાઢી સુપ્રત કરવામાં આવતા મૂળ માલીકોએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં અરજદારોને તેઓનો મુદ્દામાલ પરત મળે તે હેતુથી પોલીસ વિભાગ દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસ વિભાગ દ્વારા તેરા તુજકો અર્પણ” અંતર્ગત વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છેત્યારે સુરત શહેરના કાપોદ્રા પોલીસ મથકના PI એમ.આર.સોલંકીના માર્ગદર્શન હેઠળ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ચોરી અથવા ગુમ થયેલ રૂ. 5.45 લાખના મોબાઈલ ફોન CEIR પોર્ટલ થકી શોધી કાઢી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કેમૂળ માલિકોએ ગુમ અથવા ચોરી થયેલ મોબાઇલ ફોન પરત મળતા આભાર માની કાપોદ્રા પોલીસની કામગીરીને બિરદાવી હતી.