ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સુરતના હીરાઉદ્યોગને અસર, હીરા વેપાર થયો ઠપ્પ..!

ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે.

New Update
ઈઝરાયલ-પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સુરતના હીરાઉદ્યોગને અસર, હીરા વેપાર થયો ઠપ્પ..!

સ્થાનિકથી લઈને વૈશ્વિક સ્તર સુધી એક તરફ હીરાઉદ્યોગમાં મંદી છે, ત્યાં ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા યુદ્ધના કારણે સુરતથી ઈઝરાયલ વચ્ચે લગભગ 4200 કરોડના હીરાના વેપારને અસર થઈ છે. તેવામાં સ્થાનિક ઉદ્યોગકારોની સ્થિતિ વધુ કથળે તેવી શક્યતા વર્તાય રહી છે.

સુરત હીરાબજારના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈઝરાયલ અને પેલેસ્ટાઈન-ગાઝાપટ્ટી વચ્ચે શરૂ થયેલા ભયંકર યુદ્ધના કારણે સુરતના હીરાઉદ્યોગમાં ઉદ્દભવનાર અસર વિશે GJEPCના પૂર્વ ચેરમેને જણાવ્યુ હતું કે, ‘ઇઝરાલયના તેલઅવીવ ખાતે સુરતના અંદાજે 20 જેટલા ઉદ્યોગકારોની ઓફિસો હાલમાં કાર્યરત છે. જે ઓફિસોમાંથી લગભગ 3400 કરોડ રૂપિયાના રફ હીરાનો તથા અંદાજે 800 કરોડનો પોલિશ્ડ ડાયમંડ મળીને અંદાજે 4200 કરોડનો વેપાર થઈ રહ્યો છે. જોકે, બન્ને દેશ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે હાલમાં સમગ્ર હીરા વેપાર ઠપ્પ થયો છે. છેલ્લાં કેટલાંક સમયથી સ્થાનિકથી લઇને વૈશ્વિક સ્તરે હીરા ઉદ્યોગ મંદીમાં ઘેરાઈ ગયો છે, ત્યારે આ યુદ્ધ સુરતના હીરા ઉદ્યોગકારો માટે પડતા પર પાટું સમાન સાબિત થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ખાસ કરીને કોરોના કાળ બાદ હીરા ઉદ્યોગ માંડ માંડ પાટે ચડ્યો હતો, ત્યાં અમેરિકા, યુરોપ સહિતના દેશોમાં મંદીનું વાતાવરણ છવાતાં સુરતનો હીરાઉદ્યોગ પ્રભાવિત થયો હતો, ત્યારે હવે આ યુદ્ધના કારણે સ્થાનિક ઉદ્યોગકારોની સ્થિતિ વધુ કથળે તેવી શક્યતા વર્તાય રહી છે.

Read the Next Article

સુરત : આંગડીયા પેઢીમાં RTGSથી પૈસા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકી ઝડપાઇ,પોલીસે 12.50 લાખની રોકડ કરી જપ્ત

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

New Update
  • સરથાણામાં છેતરપિંડીનો મામલો

  • ત્રણ ભેજાબાજોએ ઠગાઈને આપ્યો અંજામ

  • આંગડિયામાંRTGSના નામે કરી છેતરપિંડી

  • રોકડા રૂ.51 લાખ લઈને થઈ ગયા હતા ફરાર

  • પોલીસે ત્રણ ભેજાબાજોની કરી ધરપકડ 

સુરતમાં ભેજાબાજો દ્વારા આંગડિયા પેઢીમાં રૂપિયા ટ્રાન્સફર કરવાના બહાને છેતરપિંડીને અંજામ આપ્યો હતો.અને 51 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી,આ ઘટનામાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

સુરતમાં આર્થિક ક્રાઇમની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે.અને ભેજાબાજો દ્વારા છેતરપિંડી માટે પણ નિતનવી ચાલાકી કરવામાં આવી રહી છે,આવો જ એક બનાવ સરથાણા પોલીસ મથકના હદ વિસ્તારમાં બન્યો હતો.જેમાં ફરિયાદીના રૂપિયા 50 લાખ આંગડિયા પેઢીમાંRTGS કરવાના બહાને ભેજાબાજોએ રૂપિયા 1 લાખના કમિશન સાથે રોકડા રૂપિયા 51 લાખ ફરિયાદી પાસેથી મળેવી લીધા હતા.

જોકે સમય મર્યાદામાં રૂપિયાRTGS થયા ન હોતા,અને ભેજાબાજો ફરાર થઇ ગયા હતા.તેથી ફરિયાદીને છેતરપિંડીનો અણસાર આવ્યો હતો,અને તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.જેના આધારે પોલીસે કિશોર ઘોડાદરા,કિરીટ પટેલ અને જયેશ કેરાસીયાની ધરપકડ કરીને રૂપિયા 12.50 લાખ રોકડા રિકવર કર્યા હતા.અને પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. 

Latest Stories
    Read the Next Article

    સુરત : મોટા વરાછામાં સગા ભાઈએ કરી બહેન સાથે લાખોની છેતરપિંડી,ભાઈ સહિત બે આરોપીની ધરપકડ કરતી પોલીસ

    મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા

    New Update
    • મોટા વરાછામાં છેતરપિંડીનો મામલો

    • સગા ભાઈએ બહેન સાથે કરી છેતરપિંડી

    • રોકડા રૂપિયા,સોનાના દાગીના પડાવી લીધા

    • બહેને નોંધાવી પોલીસ ફરિયાદ

    • ભાઈ સહિત બે આરોપીની ધરપકડ   

    સુરતના મોટા વરાછા વિસ્તારમાં સગા ભાઈએ બહેન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી,જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપી ભાઈ સહિત બે આરોપીઓની ધરપકડ કરી હતી.

    સુરતના મોટા વરાછામાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.રાજુ શિરોયાએ પોતાની સગી બહેન પાસેથી મદદ કરવાના બહાને રોકડા રૂપિયા અને સોનાના દાગીના પડાવી લીધા હતા.જેમાંરૂપિયા 50 હજાર રોકડા અને 18 તોલા સોનુ પડાવી લીધા હતા. રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયા રોકડા રૂપિયા અને સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.જેના કારણે બહેનને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી.

    પોલીસે તેઓની ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી,અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોયા અને ભત્રીજો અક્ષય શિરોયાની ધરપકડ કરી હતી.ઉત્રાણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 15 લાખ 54 હજાર 170નો મુદ્દામાલ રિકવર કર્યો હતો.અને પોલીસ તપાસમાં આરોપી અક્ષય શિરોયા ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોવાનું પણ ખૂલ્યું હતું.

    Latest Stories