“હવે, હું ઘરે નથી આવવાની” કહેતા જ સુરતના યુવકને થયો છેતરપિંડીનો અણસાર, લૂંટેરી દુલ્હન સહિત 2 લોકોની ધરપકડ...

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે.

New Update

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં 39 વર્ષીય યુવકને શિકાર બનાવી લુંટેરી દુલ્હનની ટોળકીએ રૂ. 1.35 લાખ પડાવી લીધા છે. જોકેભોગ બનનારે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે લુંટેરી દુલ્હનની ટોળકીના 3 સભ્યોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના યોગીચોક વિસ્તારમાં 39 વર્ષીય યુવક લગ્ન બાદ છૂટાછેડા થતાં પોતાના 15 વર્ષના દીકરા અને પરિવારના અન્ય સભ્યો સાથે રહી જીવન પસાર કરી રહ્યા હતા. આ દરમ્યાન દીકરો નાનો હોવાથી તેઓએ ફરી વખત લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેથી તેમને પરિવારના સભ્યોને વાત કરી હતી. આ દરમ્યાન તેઓના નાના ભાઈના પત્નીએ તેમને વ્હોટ્સએપમાં એક યુવતીનો ફોટો મોકલ્યો હતોઅને પૂછ્યું હતું કેજો તમને આ યુવતી પસંદ હોય તો આપણે લગ્ન માટે વાત ચલાવીએ. આપણા સબંધીમાં જ છે. જેથી યુવકે હા પાડી હતી.

આ દરમ્યાન વિપુલ ડોબરિયાજ્યોતિબેન અને જે યુવતીનો ફોટો મોબાઈલમાં આવ્યો હતોએ સંજના નામની યુવતી યુવકના ઘરે આવ્યા હતાત્યારે જ્યોતિબેને જણાવ્યું હતું કેસંજના મારા ફોઈની છોકરી છે. સંજનાના માતા-પિતા સ્વર્ગવાસ સીધાવી ગયા છે. જેથી સંજના અમારા ઘરે જ રહે છે. બાદમાં લગ્નઇચ્છુક યુવકે અને સંજનાએ વાતચિત કરી લગ્ન માટે હા પાડી હતીજેથી લગ્ન માટે વિપુલભાઈએ જણાવ્યું હતું કેતમારે 1 લાખ રૂપિયા જ્યોતિબેનને આપવાના છેઅને વધુ 20 હજાર રૂપિયા આપવાના રહેશે. જેથી યુવકે આ તમામ બાબતો માટે હા પાડી હતીઅને લગ્નની ખરીદી શરૂ કરી હતી. આ દરમ્યાન ચાંદીના સાંકડા અને સોનાનો દાણો અને કપડાની ખરીદી કરી તાપી કિનારે આવેલ શંકર ભગવાનના મંદિરે પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા.

બાદમાં લગ્નની વિધિ પૂર્ણ કરી લગ્નનું પ્રમાણપત્ર બનાવવાનું હોવાથી વકીલની ઓફીસ ગયા હતાજ્યાં લખાણ કરી વરાછા ઝોન ઓફીસ ગયાત્યારે સંજનાએ ઓરીજનલ ડોક્યુમેન્ટ સાથે નથી તેવું જણાવ્યું હતું. જેથી તેઓ ઘરે પરત આવી ગયા હતા. બાદમાં વિપુલ ડોબરિયાને 1.25 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા. થોડા દિવસ બાદ પત્ની સંજનાએ જણાવ્યું કેમારા દાદીની તબિયત સારી નથીઅને મહારાષ્ટ્રથી સુરત આવ્યા છે. તો મારે તેમને ખબર અંતર પૂછવા જવાનું છે. તમે મને ડિંડોલી સાંઈ પોઈન્ટ સુધી મુકી જાવ. હું સાંજે પરત આવી જઈશ. જેથી સંજના ઘરે ગયા બાદ યુવકના નાના ભાઈની પત્નીને ફોન કરીને કહ્યું કેહવે હું ઘરે નથી આવવાની. ત્યારબાદ યુવકે અનેકવાર વિપુલ ડોબરિયાને કોલ કર્યાપરંતુ કોઈ જવાબ ન મળતા પોતાની સાથે ઠગાઈ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જેથી તેઓએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપી હતી. ફરિયાદના આધારે સરથાણા પોલીસે તપાસ હાથ ધરી હતીઅને લુંટેરી દુલ્હન અને તેના સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસે વિપુલ ડોબરિયારૂપાલીબેન ઉર્ફે સંજના વીકી ભગવાનભાઈ નાગમલ અને જ્યોતિ સંજય મોરેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Read the Next Article

સુરત : પુણામાં એમ્બ્રોડરી ખાતામાં ફાયરિંગ કરીને લૂંટને અંજામ આપનાર એક આરોપીની ધરપકડ કરતી પોલીસ

એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી જ્યારે મુખ્ય આરોપી હજુ ફરાર

New Update
  • એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ અને લૂંટનો મામલો

  • કારખાનામાં કામ કરતા પૂર્વ કારીગરે જ રચ્યું કાવતરૂં

  • ફાયરિંગ કરીને ઘટનાને આપ્યો હતો અંજામ

  • કારીગરોના મોબાઈલ અને રોકડની ચલાવી હતી લૂંટ

  • પોલીસે એક આરોપીની ગુરુગ્રામથી કરી ધરપકડ 

સુરતના પુણામાં આવેલ એમ્બ્રોડરીના ખાતામાં ફાયરિંગ કરીને લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો,જે બનાવમાં પોલીસે એક આરોપીની હરિયાણાથી ધરપકડ કરી હતી.જ્યારે મુખ્ય આરોપી હજી ફરાર હોવાનું જાણવા મળ્યું છે.

સુરતના પુણા ગામમાં 5મી જૂને સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગ અને લૂંટની ચોંકાવનારી ઘટના બની હતી. આ ઘટનામાં પૂર્વ કારીગર દિલીપસિંહ અર્જુનસિંહ અને તેના બે સાગરીતોએ ફેક્ટરીના માલિક મદનસિંહ ભાટી અને કારીગરોને નિશાન બનાવ્યા હતા. દારૂ પીવાની આદત અને વારંવારના ઝઘડાને કારણે માલિક દ્વારા નોકરીમાંથી કાઢી મુકાયેલા દિલીપસિંહે આ કૃત્યને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. શેઠને ડરાવવા અને કારીગરોને નોકરી ન કરવા દેવા પૂર્વ કારીગરનો ફાયરિંગલૂંટ અને તોડફોડની ઘટનાને અંજામ આપ્યો હતો.

આરોપી દિલીપસિંહ તેના બે સાગરીતો સાથે ફેક્ટરીમાં ધસી આવ્યો હતો.તેણે પિસ્તોલ વડે ફાયરિંગ કરીને કારીગરોમાં ભયનો માહોલ ફેલાવી દીધો હતો. અને તેણે કારીગરોના ફોન અને રોકડની લૂંટ કરી હતી અને ફેક્ટરીમાં તોડફોડ પણ કરી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપસિંહ અને તેના સાગરીતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.લૂંટારૂઓએ કારીગરોના બે મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા 10 હજારની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા.

આ ઘટનામાં પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચે પણ તપાસ હાથ ધરી હતી.ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કેઆ ઘટનામાં દિલીપસિંહ સાથે સચિન ધરમપાલ જાંગડા નામનો એક શખ્સ પણ સામેલ હતોજે મૂળ હરિયાણાનો વતની છે અને હાલ રાજસ્થાનના સવાઈ માધવપુરમાં નોકરી કરતો હતો.

ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ સચિનને પકડવા સવાઈ માધવપુર પહોંચી હતીપરંતુ તે ત્યાંથી મળ્યો ન હતો. જોકેબાતમીના આધારે દિલ્હી-ગુરુગ્રામથી આરોપી સચિનની ધરપકડ કરવામાં આવી હતી.અને  પોલીસે 41 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથધરી છે. આ ઘટનામાં હજી પણ મુખ્ય આરોપી દિલીપસિંહ ફરાર છે,તેની ધરપકડ માટે પોલીસ દ્વારા સઘન પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.