સુરેન્દ્રનગરમાં 215 પોલીસ કર્મચારીઓની તાત્કાલીક અસરથી બદલી કરી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર નાયબ પોલીસ મહાનિરીક્ષક ડૉ. ગીરીશ પંડ્યાએ 200થી વધુ કર્મીને બદલીના આદેશ આપ્યા છે. જેમાં કેટલાકની સ્વવિનંતીથી બદલી કરવામાં આવી છે તો કેટલાક કર્મીને જાહેર હિતમાં બદલી કરવામાં આવી છે.






