Connect Gujarat
ટ્રાવેલ 

જો તમે ઓછા બજેટમાં વિદેશ પ્રવાસ કરવા માંગતા હોય તો નેપાળ શ્રેષ્ઠ વિકલ્પ

જ્યારે પણ ભારતની બહાર ફરવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકોનું પ્લાનિંગ બજેટને કારણે અટકી જતુ હોય છે કારણ કે ભારતની બહાર મુસાફરી કરવી બિલકુલ સસ્તી નથી,

જો તમે ઓછા બજેટમાં વિદેશ પ્રવાસ કરવા માંગતા હોય તો નેપાળ શ્રેષ્ઠ વિકલ્પ
X

જ્યારે પણ ભારતની બહાર ફરવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકોનું પ્લાનિંગ બજેટને કારણે અટકી જતુ હોય છે કારણ કે ભારતની બહાર મુસાફરી કરવી બિલકુલ સસ્તી નથી, આ માટે ઘણા બધા પૈસા ખર્ચવા પડે છે, ટ્રાવેલિંગથી લઈને હોટેલ સુધીના બુકિંગમાં લાખોનો ખર્ચ થાય છે. તો આજે અમે તમને એક એવા ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં જવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા નહી પડે અને રહેવામાં પણ સરળતા રહે છે.

આ સ્થળ છે ભારતનો પાડોશી દેશ નેપાળ. કે જે સુંદરતથી ભરેલ દેશ માનવમાં આવે છે, આ સ્થળ પ્રકૃતિ પ્રેમીઓ માટે વધારે બેસ્ટ છે, તો ઓછા બજેટમાં પણ આ જ્ગ્યા સુંદર અને સારી છે ખાસ અને ભોજન અને રહેવામાં કોઇ તકલીફ રહેતી નથી.

પશુપતિનાથ મંદિર :-

  • પશુપતિનાથ મંદિર નેપાળનું એક પ્રખ્યાત અને પવિત્ર હિન્દુ મંદિર છે, જે બાગમતી નદીના કિનારે આવેલું છે. નેપાળમાં જોવાલાયક સ્થળોની યાદીમાં તે ટોચ પર છે. વિશ્વના સૌથી મોટા હિન્દુ મંદિરોમાંનું એક. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભગવાન શિવને સમર્પિત આ મંદિર ખરેખર અદભૂત છે. અહીં આવવાનું અને તેને જોવાનું ચૂકશો નહીં.

પોખરા તળાવ :-

  • પોખરા તળાવ નેપાળનું બીજું એક ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે, જે ખૂબ જ સુંદર છે. અહીં આવીને તમને એક અલગ જ દુનિયામાં હોવાનો અનુભવ થાય છે. પોખરા તળાવમાં બોટ રાઈડ અહીંનું ખાસ આકર્ષણ છે.

બૌધનાથ સ્તૂપ :-

  • બૌધનાથ એ કાઠમંડુના પૂર્વ ભાગમાં સ્થિત એક પ્રસિદ્ધ બૌદ્ધ સ્તૂપ અને તીર્થસ્થાન છે. તે વિશ્વના સૌથી મોટા સ્તૂપમાંથી એક માનવામાં આવે છે. તે વર્લ્ડ હેરિટેજમાં સામેલ છે. આ 36 મીટર ઉંચો સ્તૂપ કલાનું અનોખું ઉદાહરણ છે.

લુમ્બિની :-

  • લુમ્બિની ભગવાન બુદ્ધના જન્મ સ્થળ તરીકે પ્રખ્યાત છે. લુમ્બિની તેના પ્રાચીન સ્તૂપ માટે જાણીતું છે, જે 2000 વર્ષથી વધુ જૂના છે. લોકો ખાસ કરીને અહીં ટ્રેકિંગ, ધ્યાન અને યોગની પ્રેક્ટિસ કરવા અને બૌદ્ધ સંસ્કૃતિ વિશે જાણવા માટે આવે છે. આ સ્થળને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઓળખવામાં આવે છે અને તે ભારતીય સરહદની બરાબર નજીક સ્થિત છે.

ગોક્યો તળાવ :-

  • ગોક્યો તળાવ નેપાળના સાગરમાથા રાષ્ટ્રીય ઉદ્યાનમાં સમુદ્ર સપાટીથી 4,700–5,000 મીટર (15,400–16,400 ફૂટ)ની ઊંચાઈએ આવેલું છે.ગોક્યો તળાવને હિન્દુ અને બૌદ્ધ બંને ધર્મો દ્વારા પવિત્ર માનવામાં આવે છે. જનાઈ પૂર્ણિમા તહેવાર દરમિયાન લગભગ 500 હિંદુઓ આ તળાવમાં સ્નાન કરે છે, જે સામાન્ય રીતે ઓગસ્ટ મહિનામાં થાય છે. દર વર્ષે હજારો પ્રવાસીઓ ગોક્યો તળાવની મુલાકાતે આવે છે. હિંદુ દેવતાઓ ભગવાન વિષ્ણુ અને શિવને સમર્પિત મંદિર તળાવના પશ્ચિમ ખૂણામાં આવેલું છે. આ જગ્યાઓ સિવાય નેપાળમાં જોવા જેવી બીજી ઘણી વસ્તુઓ છે. પરંતુ આ સ્થળોને જોયા વિના અહીંની યાત્રા અધૂરી છે.
Next Story