Connect Gujarat
ગુજરાત

વડોદરા : કાશ્મીરમાં આતંકી ઘટનાઓના વિરોધમાં અજીતનગર યુવક મંડળે કર્યું વિરોધ પ્રદર્શન

વડોદરા : કાશ્મીરમાં આતંકી ઘટનાઓના વિરોધમાં અજીતનગર યુવક મંડળે કર્યું વિરોધ પ્રદર્શન
X

કલમ 370 અને 35A હટાવ્યા બાદ કાશ્મીરમાં આતંકી ઘટનાઓ વધી છે. કાશ્મીરમાં આતંકવાદીઓના નિશાને કાશ્મીરી પંડિતો છે. તાજેતરમાં જ આતંકવાદીઓએ સરપંચ અજય પંડિતની નિર્મમ હત્યા કરી હતી. ત્યારે,કાશ્મીરમાં વધતાં જતાં કાશ્મીરી પંડિતો પર થતાં હુમલાના વિરોધમાં વડોદરાના અકોટા અજિતનગર યુવક મંડળે "હિન્દૂ યુનાઇટેડસ અગેન્ટ્સ ટેરર" ના બેનર હેઠળ વિરોધ પ્રદર્શન કર્યું.

કાશ્મીરી પંડિતો પર થતાં હુમલાને ષડયંત્ર ગણાવી પંડિતોને જમ્મુ કાશ્મીર માંથી ભગાડી વિસ્તાર પર કબ્જો કરવાનો આતંકીઓનું કૃત્ય ગણાવી હિંદુ સમાજને એકજુથ થવા હાકલ કરી હતી.

Next Story