સુરત : વડોદમાં મકાનની ગેલેરીનો હિસ્સો ધરાશાયી, એકનું મોત, 5 લોકો ઘાયલ

આર્શીવાદ નગરમાં બનેલા બનાવથી દોડધામ, ગેલેરીના કાટમાળ નીચે 6 થી વધુ લોકો દબાયા હતાં

New Update
સુરત : વડોદમાં મકાનની ગેલેરીનો હિસ્સો ધરાશાયી, એકનું મોત, 5 લોકો ઘાયલ

સુરતના પાંડેસરા નજીક આવેલાં વડોદમાં આર્શીવાદ માર્કેટમાં મકાનની ગેલેરીનો કેટલોક ભાગ તુટી પડતાં એક વ્યક્તિનું મોત થયું છે જયારે અન્ય પાંચ લોકોને ઇજા પહોંચી છે.

સુરતના વડોદ ગામ ખાતે ગણેશનગરમાં આવેલી આશીવાર્દ માર્કેટમાં મકાનની ગેલેરીનો ભાગ તૂટી પડતાં દોડધામ મચી હતી. ગેલેરીના કાટમાળ નીચે લોકો દબાઇ જતાં તેમને બચાવવા માટે રેસ્કયુ ઓપરેશન હાથ ધરાયું હતું. કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવેલાં લોકોને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જેમાંથી એકનું મોત થઇ ગયું છે.બીજી તરફ આ ઘટનાને લઈને આખી રાત ફાયર વિભાગનો કાફલો દોડતો રહ્યો હતો.ફાયર ઓફિસર મોઢે જણાવ્યું હતું કે, રાતે ઘટનાનો કોલ મળતા જ ભેસ્તાન, મજૂરા, માનદરવાજા, નવસારી બજાર અને ડિંડોલી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને ઈજાગ્રસ્ત લોકોને પહેલેથી જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં અન્ય ૮ જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.