વડોદરા: માણેજામાં વેગન આર કારમાં ભીષણ આગ લાગી,કાર ચાલક મહિલાનો આબાદ બચાવ

વડોદરાના માણેજા વિસ્તારમાં એક વેગન આર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,કાર ચાલક મહિલા સમય સુચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

New Update
  • માણેજામાં કારમાં લાગી આગ

  • વેગન આર કારમાં લાગી ભીષણ આગ

  • કાર ચાલક મહિલાનો આબાદ બચાવ

  • ફાયર લાશ્કરોએ આગ પર મેળવ્યો કાબુ

  • આગમાં કાર બળીને ખાક થઇ 

વડોદરાના માણેજા વિસ્તારમાં એક વેગન આર કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી,કાર ચાલક મહિલા સમય સુચકતા વાપરીને કારમાંથી ઉતરી જતા તેનો આબાદ બચાવ થયો હતો.

વડોદરામાં માણેજા વિસ્તારમાં એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.એક મહિલા કાર ચલાવી રહી હતી,દરમિયાન તેને કારમાં ધુમાડો જોતા કારને સાઈડમાં ઉભી રાખી કારની બહાર નીકળી ગઈ હતી,અને જોતજોતામાં કાર આગની લપેટમાં આવી ગઈ હતી.થોડી જ ક્ષણોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વેગન આર  કાર બળીને ખાક થઈ ગઈ હતી. બનાવવાની જાણ થતા જ વડોદરા ફાયર વિભાગના લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.પરંતુ કાર બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી.જોકે કાર ચાલક મહિલાનો આબાદ બચાવ થયો હતો.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.