વડોદરા : કરજણના તળાવમાં કપડાં ધોઈ રહેલ મહિલાને મગર ઉંડા પાણીમાં ખેચી ગયો, મહિલાનું મોત...

વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલ મહિલા ઉપર મગરે હુમલો કર્યો ઉંડા પાણીમાં ખેચી ગયો હતો.

New Update
વડોદરા : કરજણના તળાવમાં કપડાં ધોઈ રહેલ મહિલાને મગર ઉંડા પાણીમાં ખેચી ગયો, મહિલાનું મોત...

વડોદરા જિલ્લાના કરજણ ખાતે સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા ગયેલ મહિલા ઉપર મગરે હુમલો કર્યો ઉંડા પાણીમાં ખેચી ગયો હતો. બનાવના પગલે વડોદરા જીઆઇડીસીના ફાયર લાશ્કરોએ ફ્લોટ બોટની મદદથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો.

મળતી માહિતી અનુસાર, વડોદરા જિલ્લાના કરજણ ગામમાં રહી એકલવાયું જીવન ગુજારતા કંચનબેન રાઠોડ નજીકમાં આવેલ સ્વામિ વિવેકાનંદ તળાવમાં કપડા ધોવા માટે ગયા હતા. તે દરમિયાન કંચનબેન ઉપર મગરે હુમલો કરી તળાવના ઊંડા પાણીમાં ખેંચી જતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા તળાવ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, ત્યારબાદ લોકોએ ફાયર વિભાગને જાણ કરતા વડોદરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની રેસ્કયુ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ફાઇટરોએ ફ્લોટ બોટની મદદ લઇ કંચનબેનના મૃતદેહની શોધખોળ આરંભી હતી, જ્યાં ભારે જહેમત બાદ ફાયર ફાઇટરોએ તળાવમાં મગરોની વચ્ચેથી મહિલાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલ કરજણ પોલીસે મૃતદેહને કરજણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.