વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળબજારના દબાણો દૂર કરાયા, નાના વેપારીઓમાં રોષ...

શહેરના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે લારી સહિત પાથરણાવાળાઓના દબાણો હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી

New Update
વડોદરા : ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંગળબજારના દબાણો દૂર કરાયા, નાના વેપારીઓમાં રોષ...

વડોદરા શહેરના મંગળબજાર વિસ્તારમાં ગેરકાયદે લારી સહિત પાથરણાવાળાઓના દબાણો હટાવવાની મહાનગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી, ત્યારે દબાણ કામગીરી દરમ્યાન મેયર, મ્યુનિસિપલ કમિશનર સહિતનો પોલીસ કાફલો પણ સ્થળ પર હાજર રહ્યો હતો.

વડોદરાના ચાર દરવાજા વિસ્તારની મધ્યસ્થમાં આવેલ કાપડ બજાર તરીકે જાણીતા મંગળબજાર ખાતે લારી સહિતના પાથરણાવાળાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. જાહેર માર્ગ દબાણ કરી વાહન વ્યવહારમાં અવરોધ ઊભો કરનાર નાના વેપારીઓનો માલ-સામાન મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. વડોદરા પાલિકાની દબાણ શાખા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે રોજનું કમાઈને રોજ ખાતા નાના વેપારીઓએ પાલિકાની આ કામગીરી સામે રોષ ઠાલવ્યો હતો.

જોકે, મંગળબજાર ખાતે પાલિકાની દબાણ કામગીરી શરૂ થતાં જ કેટલાક વેપારીઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ચકમક ઝરી હતી, ત્યારે પોલીસની દરમિયાનગીરીથી દબાણ હટાવો કામગીરી ચાલુ રાખી લારી સહિત પાથરણાવાળાઓનો માલ-સામાન જપ્ત કર્યો હતો. આ સાથે જ મેયર કેયૂર રોકડિયા અને મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે મંગળબજારના વેપારીઓ અને દુકાનદારો સાથે ચર્ચા કરી હતી. જેમાં તેઓને જણાવ્યુ હતું કે, તમારી દુકાન બહાર પાથરણાવાળાઓને બેસવા નહીં દેવા. જોકે, પાલિકાની દબાણ હટાવો ઝુંબેશ દરમ્યાન બજારમાં અફારતફરીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.