વડોદરા: ગિલોલથી કારના કાચ તોડીને ચોરીને અંજામ આપતા ત્રિચી ગેંગના 12 શખ્સોની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે,પોલીસે  ગિલોલથી કારનો કાચ તોડીને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય  ત્રિચી ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી છે,

New Update
  • ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા

  • આંતરરાજ્ય ત્રિચી ગેંગ ઝડપાઇ

  • ગિલોલથી કારના કાચ તોડી ચોરી કરતી હતી ગેંગ

  • ક્રાઈમ બ્રાન્ચે તમિલનાડુના 12 શખ્સોની કરી ધરપકડ

  • 25 ગુન્હાનો ભેદ ઉકેલાયો,10 લાખનો મુદ્દામાલ કરાયો જપ્ત

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમને મોટી સફળતા હાથ લાગી છે,પોલીસે  ગિલોલથી કારનો કાચ તોડીને ચોરીને અંજામ આપતી આંતરરાજ્ય  ત્રિચી ગેંગના 12 શખ્સોની ધરપકડ કરી છે,અને રૂપિયા 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.

ગુજરાતમહારાષ્ટ્રગોવાશિરડીપુણેનાસિક સહિતના રાજ્યોમાં  ગિલોલથી કારના કાચ તોડીને ચોરીને અંજામ આપતી ત્રિચી ગેંગને વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દબોચી લીધી હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમે આજવા રોડ ખાતેથી 12 શખ્સોની ધરપકડ કરી હતી.ત્રિચી ગેંગ દ્વારા  ગિલોલથી કારનો કાચ તોડીને કારમાંથી લેપટોપઆઈફોનટેબ્લેટ્સરોકડા સહિતની ચીજ વસ્તુઓની ચોરીને અંજામ આપવામાં આવતો હતો.પોલીસે મૂળ તામિલનાડુના આરોપી જગન બાલા સુબ્રમણ્યમ સેરવેઉદયકુમાર સેરવેહરીશ મુથુરાજવિજ્ઞેશ્વર સેરવેકિરણકુમાર સેરવે,સેલ્વકુમાર સેરવેઅગિલન સેરવે,ઐયપન સેરવેગોવર્ધન સેરવેવેંકટેશ કોર્ચાસેન્દીલ સેરવેમોહન સેરવેની ધરપકડ કરી હતી.જેમાં જગન બાલા સુબ્રમણ્યમ સેવરે આ ગેંગનો લીડર હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.આંતરરાજ્ય ચોરીને અંજામ આપતા આરોપીઓની ધરપકડ સાથે પોલીસે 25 જેટલા ગુન્હાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.જ્યારે પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કુલ રૂપિયા 10 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

વધુમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે તમિલનાડુના રામજીનગર ગામમાં રહેતા આરોપીઓની ત્રીજી પેઢી છે,જે ચોરીના ગુનામાં સામેલ થઈ છે. 

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.