વડોદરા : યુવતી સાથે રૂ. 2.62 લાખની છેતરપિંડી મામલે 3 નાઇજીરિયનની સાયબર ક્રાઈમે દિલ્હીથી ધરપકડ કરી...

વડોદરાની યુવતીને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના જાળામાં ફસાવી રૂ. 2.60 લાખની છેતરપિંડી કરનાર 3 નાઈજીરીયનની વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે.

New Update
  • ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવવી યુવતીને ભારે પડ્યું

  • અમેરિકન કેમિકલ એન્જિ. તરીકે ઓળખ આપી થઈ છેતરપિંડી

  • યુવતી સાથે રૂ. 2.60 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાય

  • છેતરપિંડી કરનાર 3 નાઈજીરીયનની દિલ્હીથી ધરપકડ કરાય

  • વડોદરા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાય

વડોદરાની યુવતીને ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના જાળામાં ફસાવી રૂ. 2.60 લાખની છેતરપિંડી કરનાર 3 નાઈજીરીયનની વડોદરા સાયબર ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીથી ધરપકડ કરી છે. આરોપીઓએ પોતાની અમેરિકન કેમિકલ એન્જિનિયર તરીકેની ઓળખ આપી યુવતી સાથે મિત્રતા કેળવી હતી.

દેશમાં દિવસેને દિવસે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહી છે. સાયબર માફિયાઓ સોશિયલ મીડિયા દ્વારા ઓળખ વધારી પૈસા લૂંટવાની મોડસ ઓપરેન્ડી પર કામ કરી રહ્યા છેત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે દિલ્હીમાંથી 3 નાઈજીરીયન લોકોને ઝડપી પાડ્યા છે. જેમણે ઈન્સ્ટાગ્રામ મારફતે વડોદરાની એક યુવતી પાસેથી રૂ. 2.60 લાખની ઉચાપત કરી હતી. થોડા દિવસો પહેલા વડોદરાની યુવતીએ ઈન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા કરી હતી. જેણે પોતાની ઓળખ અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકે ઓળખ આપી હતી.

ધીરે ધીરે તે બન્ને સોશિયલ મીડિયાના મધ્યમથી નજીક આવી ગયાત્યારે આ યુવકે કહ્યું કે તેને ડિગબોઈમાં નોકરી મળી છેઅને પોતાના સામાનને છોડાવવા માટે યુવતી પૈસાની માંગણી કરી હતી. જેથી યુવતીએ ઓનલાઈન પૈસા મોકલ્યા હતા. ફરી એકવાર મશીનરી ખરીદવા માટે પણ પૈસા માંગવામાં આવ્યા હતા. આરોપીઓએ યુવતી પાસેથી અલગ-અલગ બહાને અંદાજે 2.60 લાખ રૂપિયા પડાવી લીધા હતા. બાદમાં યુવકે યુવતી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતુંત્યારે યુવતીને પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં વડોદરા સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલામાં દિલ્હીથી 3 લોકોની ધરપકડ કરી છેજેઓ નાઈજીરિયન છે. પોલીસે લેજુઓ જ્હોનજિબ્રિલ મોહમ્મદ અને અગબુલે એકેનાની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. આરોપીઓના ફોનમાંથી 500થી વધુ બેંક ખાતાની વિગતો પણ મળી આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.