વડોદરા: માવઠાના કારણે ફળોના રાજા કેરીનો ભાવ આસમાને,જુઓ શું કહી રહ્યા છે વેપારીઓ

જેને કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે.

New Update
વડોદરા: માવઠાના કારણે ફળોના રાજા કેરીનો ભાવ આસમાને,જુઓ શું કહી રહ્યા છે વેપારીઓ

તાઉતે વાવાઝોડાને પગલે માવઠાની મોકાણ સાથે કુદરતી આપત્તિ જારી રહી હતી . જેને કારણે કેરીના પાકને ૩૦ ટકા જેટલું નુકસાન થતા આ વર્ષે કેરીના ભાવ આસમાનને આંબે એવી સ્થિતીનું નિર્માણ થયું છે. હોલસેલ ફુટ માર્કેટમાં રોજની ૩૦ ટ્રક ભરીને કેરીઓ આવતી હતી . હાલમાં માત્ર ૩ ટ્રક ભરીને કેરીઓ આવે છે.

વડોદરા શહેરના સયાજીપુરા હોલસેલ માર્કેટ - ખંડેરાવ માર્કેટ સહિત શહેરના વેપારીઓ કેરળથી તોતાપુરી , લાલબાગ , ગોલા , પાયરી , હાફુસ અને દેશી કેરી વિપુલ જથ્થામાં મગાવે છે આ પ્રમાણે મહારાષ્ટ્રના રત્નાગીરીથી હાફુસ , કેસર , પાયરી , દક્ષિણ ભારતના હૈદરાબાદ - વિજયવાડાથી બદામ અને તોતાપુરી , સૌરાષ્ટ્રથી કેસર , ઉત્તર પ્રદેશથી લંગડો , દશેરી , ચોરસા તેમજ ગુજરાતના વલસાડથી કેસર , લંગડો તોતાપુરી , રાજાપુરી , દાડમિયા કેરી મગાવે છે . ગત વર્ષે બદામનો ૧ કિલોનો ભાવ રૂ .૫૫ થી ૬૦ હતો . જે આ વર્ષે રૂ .૧૧૦ છે . સૌથી મોંઘી કેરી રત્નાગીરી હાફુસ છે . જે કિલોના હિસાબે નહિં પરંતુ ડઝનના હિસાબે વેચાય છે .

ગત વર્ષે જે કેરી રૂ .૧૫૦૦ ના ભાવે ૩ થી ૪ ડઝન મળતી હતી એ કેરી આ વર્ષે ફળની સાઇઝ અને ક્વોલિટી મુજબ રૂ .૨૫૦૦ થી ૪૦૦૦ ના ભાવે મળે છે . કેરળની હાફુસ ગતવર્ષે રૂ .૧૦૦ થી ૧૨૦ ના ભાવે ૧ કિલો મળતી હતી . જેનો ભાવ આ વર્ષે રૂ .૨૦૦ ની આસપાસ રમે છે . છૂટક માર્કેટમાં હાલમાં બદામ રૂ .૧૨૦ થી ૧૮૦ , કેસર રૂ .૨૫૦ થી ૪૦૦ , રત્નાગીરી હાફુસ રૂ .૨૫૦ થી ૪૦૦ , લાલબાગ રૂ .૧૨૦ થી ૨૦૦ , પાયરી રૂ .૨૦૦ થી ૩૦૦ ના ભાવે ફળની સાઇ ઝ - ક્વોલિટી પ્રમાણે વેચાય છે . કેરીની સિઝન શરૂ થયા પછી તમામ પ્રકારની કેરીના ભાવ ઘટવાની ગણતરી સેવાઇ રહી છે.કાચી કેરીને પરાળમાં રાખી પકાવવામાં વધુ દિવસો વિતી જાય છે , જેને બદલે છેલ્લા દાયકાથી ચાઇનાથી આવતી કાર્બાઇડ યુક્ત પડીકીથી કેરી પકવવામાં આવે છે . તદુપરાંત કેરી પકવવા માટે એ.સી. હીટ એન્ડ ચિલ્ડ ચેમ્બરનો ઉપયોગ પણ કરાય છે . 

Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.