વડોદરા: કોર્પોરેશનના વોર્ડ 7ની કચેરી સામેના વિસ્તારમાં જ દૂષિત પાણી મળતા સ્થાનિકો પરેશાન

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામેના જ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે,છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ યુક્ત અને ડહોળું પાણી મળવાના કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.

New Update

વડોદરા કોર્પોરેશનમાં દીવા તળે અંધારુ

વોર્ડ 7ની કચેરી પાસેના માળી મોલમાં પીવાના પાણીની સમસ્યા

છેલ્લા 15 દિવસથી નાગરિકો દુષિત પાણી પી રહ્યા હોવાના આક્ષેપો

દૂષિત પાણીથી બાળકો થઈ રહ્યા છે બીમાર  

સ્થાનિકો રજુઆત કરવા જતા જ ખડકી દેવાયો પોલીસ બંદોબસ્ત

ઓફિસમાંથી અધિકારીઓ પણ થઈ ગયા ગાયબ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામેના જ વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિકો પરેશાન થઈ ઉઠ્યા છે,છેલ્લા પંદર દિવસથી દુર્ગંધ યુક્ત અને ડહોળું પાણી મળવાના કારણે બાળકો બીમાર પડી રહ્યા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 7ની કચેરી સામે આવેલ માળી મોલ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી દુર્ગંધ યુક્ત દુષિત પાણી સ્થાનિક રહીશોને મળી રહ્યું છે.જે અંગેની સ્થાનિક લોકો કોર્પોરેશનના વોર્ડ 7ની કચેરી ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા,પરંતુ અધિકારીઓ પણ ઓફિસ છોડીને ભાગી ગયા હોવાના આક્ષેપ રજૂઆત કરવા આવેલા સ્થાનિક લોકોએ કર્યા હતા.વધુમાં દુષિત પાણી માટે કાઉન્સિલર તેમજ અધિકારીઓ ને રજૂઆતો કરી છે પરંતુ સમસ્યાનું નિરાકરણ આવતું નથી અને જવાબદાર કાઉન્સિલર અને અધિકારીઓ ગોળ ગોળ જવાબ આપી રહ્યા હોવાનું સ્થાનિકો રોષપૂર્વક જણાવી રહ્યા છે. દૂષિત પાણીને પગલે લોકોમાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે,જ્યારે બાળકો પણ બીમાર પડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિકો જ્યારે વોર્ડ 7ની ઓફિસમાં રજૂઆત કરવા ગયા ત્યારે પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો.
Read the Next Article

વડોદરા : ઘર આંગણે જ બે વર્ષીય માસુમ બાળકીનું કાર નીચે કચડાઇ જતા કરૂણ મોત,અકસ્માત સર્જી ચાલક ફરાર

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.

New Update
  • મોરલીપુરામાં અકસ્માતનો બનાવ

  • ઘર આંગણે રમતી બાળા બની અકસ્માતનો ભોગ

  • બે વર્ષીય માસુમ બાળકીને બ્રેઝા કારે લીધી અડફેટમાં

  • કાર નીચે કચડાઈને માસૂમનું નીપજ્યું મોત

  • અકસ્માત સર્જીને કાર ચાલક ફરાર

  • જરોદ પોલીસે શરૂ કરી તપાસ 

વડોદરા વાઘોડિયાના મોરલીપુરા ગામના પરમાર ફળિયામાં ઘરની બહાર રમી રહેલી બે વર્ષીય માસુમ બાળકીનું બ્રેઝા કાર નીચે કચડાઇ જતા ઘટના સ્થળે મોત થયું હતું.બનાવને પગલે કાર ચાલક અકસ્માત સર્જી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.ઘટના અંગે જરોદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.

સુરતના કોસંબાની ગ્લાસ કંપનીમાં નોકરી કરતા અને વડોદરાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા ગામના પરમાર ફળિયા ખાતે રહેતા પિયુષ પરમારને સંતાનમાં બે દીકરીઓ છે.જે પૈકી નાની દીકરી બે વર્ષીય યુક્તિ શનિવારે સાંજના સુમારે પોતાના ઘર બહાર રમી રહી હતી.આ દરમિયાન અચાનક એક બ્રેઝા કારના ચાલકે આ બાળકીને અડફેટે લેતા બાળકીનું કારના ટાયર નીચે કચડાઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.જેથી રોષે ભરાયેલા પરિવારજનોએ કારના કાચની તોડફોડ કરી હતી.જ્યારે કાર ચાલક ગામનો જ રહેવાસી ગણપત પરમાર અકસ્માત સર્જી ઘટના ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

સમગ્ર બનાવને પગલે પોલીસને જાણ કરાતા જરોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતીઅને બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી. બાળકીના પરિવારજનો દ્વારા જરોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે પોલીસે પરિવારજનોની ફરિયાદના આધારે કાર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.