વડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે ઘેરાયાલો હતો,જુઓ પછી શું થયું

વિશ્વામિત્રી નદી કિનારે આવેલ સંત કબીર નગર પાસે મગરોની વચ્ચો વચ એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.

New Update
વડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે ઘેરાયાલો હતો,જુઓ પછી શું થયું

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર વિશ્વામિત્રી નદીમાં 3થી વધુ મગરોના મોઢામાં એક મૃતદેહ ફસાયેલો જોવા મળ્યો હતો. જેને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. વડોદરા શહેરના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં હજારોની સંખ્યામાં મગરો વસવાટ કરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોએ કોઇ દિવસ મનુષ્યનો શિકાર કર્યો નથી. પરંતુ જવવેલ જ જોવા મળતો એક વિડીયો આજે વાઇરલ થયો હતો

યુવકનો મૃતદેહ વિશ્વામિત્રી નદીમાં વસવાટ કરતા મગરોની વચ્ચે જોવા મળી રહ્યો છે. આ દરમિયાન એક મગરે યુવકના મૃતદેહને પોતાના જબડામાં દબાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. વધુમાં વાત કરીયે તો ગત રવિવારે મોડી સાંજે શહેરના ભીમનાથ બ્રીજ પરથી કોઇ અજાણી વ્યક્તિએ વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી હતી. જેની આજે વહેલી સવારે ભીમનાથ બ્રીજથી અંદાજે અડધો કિલોમીટર દૂર વિશ્વામિત્રી નદી કિનારે આવેલ સંત કબીર નગર પાસે મગરોની વચ્ચો વચ એક મૃતદેહ તરતો જોવા મળ્યો હતો.

જેથી સ્થાનિકો દ્વારા સયાજીગંજ પોલીસ અને ફાયર બ્રિગેડને આ અંગેની જાણ કરવામાં આવી હતી. જોકે 3થી વધુ મગરો વચ્ચે ઘેરાયેલા યુવકના મૃતદેહને એક મગરે પોતાના જબડામાં દબાવી લીધો હતો.આ દરમિયાન ફાયર બ્રિગેડના લાશ્કરો અને પોલીસ જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં ભારે જહેમત બાદ મગરોના ટોળાને દૂર કરી ફાયર બ્રિગેડના લાશ્કરોએ ડીકમ્પોઝ થઇ ગયેલા યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. યુવક કોણ છે અને તેને કયા કારણોસર મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલુ કર્યું તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

Read the Next Article

વડોદરા : ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો આજે ત્રીજો દિવસ, 18 લોકોના મોત, 2 લોકોની શોધખોળ યથાવત

નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકે, રેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છે, ત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી

New Update
  • વડોદરા-આણંદ વચ્ચે ગંભીરા બ્રિજ ઘટનાનો ત્રીજો દિવસ

  • દુર્ઘટનામાં 3 ટ્રક-બાઇક નદીમાંથી બહાર કાઢવામાં આવી

  • ઘટનામાં 18 લોકોના મોત2 લોકોની શોધખોળ યથાવત

  • સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી

  • NDRF દ્વારા 15 બોટ દ્વારા ચાલતું સતત રેસ્ક્યૂ ઓપરેશન

વડોદરા-આણંદ વચ્ચે આવેલ ગંભીરા બ્રિજ ગત તા. 9મી જુલાઈએ તૂટી પડતા 18 લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ સાથે જ 2 લોકો ગુમ હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.

વિકસિત ગુજરાતમાં સર્જાયેલી વડોદરા-આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં 18 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ઉપરાંત ગુમ થયેલા 2 લોકોની પણ શોધખોળ યથાવત રાખવામાં આવી છેત્યારે આ દુર્ઘટનાના 50 કલાક બાદ પણ નદીમાં પડી ગયેલા તમામ વાહનો અને ગુમ થયેલા લોકોને બહાર કાઢવામાં સફળતા ન મળતા સરકારની રેસ્ક્યૂ કામગીરીને લઈને પણ સવાલ ઉઠ્યા છે. નદીમાં ખૂંપી ગયેલી ટ્રક નીચે કેટલાક લોકો દબાયા હોવાની પણ આશંકા સેવાઇ રહી છે. જોકેરેસ્ક્યૂ કામગીરીનો આજે સતત ત્રીજો દિવસ છેત્યારે 3 ટ્રક અને એક બાઇકને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી.

નદીમાં ખાબકેલા ટ્રકમાં રહેલ સલ્ફ્યુરિક એસિડ સ્પ્રેડ થતું હોવાથી રેસ્ક્યૂ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છેજેથી સંપૂર્ણ કામગીરી ક્યારે પૂર્ણ થશે તે કહેવું હાલ મુશ્કેલ બન્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કેરેસ્ક્યૂ ઓપરેશન માટેNDRFએ વધુ એક બોટને મહીસાગર નદીમાં ઉતારી છેત્યારે હાલ 15 બોટ દ્વારા સતત રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે.