વલસાડ : નગરપાલિકાના વોર્ડ 2માં ચૂંટણી બાદ સર્જાયું ધીંગાણું,ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે સર્જાઈ મારામારી

વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું,પરંતુ પાલિકના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

New Update
  • ન.પા.વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ધીંગાણું

  • ભાજપ અને અપક્ષ કાર્યકર્તાઓ વચ્ચે સર્જાયું ધીંગાણું

  • અપક્ષના ઉમેદવારને વોટ આપવાના મામલે હિંસક મારામારી

  • ભાજપના કાર્યકર્તાઓએ અપક્ષ કાર્યકર્તાના ઘરે જઈને કર્યું ધીંગાણું

  • બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ

Advertisment

વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું,પરંતુ પાલિકના વોર્ડ નંબર 2માં ચૂંટણી બાદ ભાજપ અને અપક્ષ ઉમેદવારના કાર્યકર્તાઓ વચ્ચે ધીંગાણું સર્જાતા પોલીસ તંત્ર દોડતું થઇ ગયું હતું.

વલસાડ નગરપાલિકાની ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી,જોકે ચૂંટણી બાદ વોર્ડ નંબર 2માં ભાજપ અને અપક્ષ ઉમેદવારો વચ્ચે મતદાન બાબતે ખટપટ સર્જાય હતી,જેમાં અપક્ષ તરફના મતદારે અપક્ષ ઉમેદવારને વોટ આપતા મામલો બિચક્યો હતો,અને ભાજપના ઉમેદવાર ઉર્વશી પટેલના પિતા રાજેશ ઉર્ફે રાજુ મરચા અને તેમના પતિ રોહન પટેલ સહિતના કાર્યકર્તાઓના ટોળાએ અપક્ષ કાર્યકર્તા સ્મિત રાઠોડના ઘરે જઈને ધીંગાણું કર્યું હતું.સર્જાયેલી હિંસક મારામારીમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની જાણ સીટી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી,પોલીસ દ્વારા ઘટના સંદર્ભે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisment
Read the Next Article

ભરૂચ: નર્મદા મૈયા બ્રિજની બન્ને તરફ રૂ.1.84 કરોડના ખર્ચે જાળી લગાવવામાં આવશે, રાજ્ય સરકાર દ્વારા અપાઈ મંજૂરી

ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે..

New Update
  • ભરૂચનો નર્મદા મૈયા બ્રિજ બન્યો સ્યુસાઇડ પોઇન્ટ

  • બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની ઉઠી માંગ

  • રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ લગાવાશે જાળી

  • રાજ્ય સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી

  • ટૂંક સમયમાં કામગીરી શરૂ કરાશે

Advertisment
ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી આત્મહત્યાના વધતા બનાવો અટકાવવા સામાજિક કાર્યકરો દ્વારા બ્રિજની બન્ને તરફ જાળી લગાવવાની માંગ કરવામાં આવી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા રૂ.1.84 કરોડના ખર્ચે બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માટે મંજૂરી આપવામાં આવી છે.
ભરૂચની નર્મદા નદી ગુજરાતની જીવાદોરી તરીકે ઓળખાય છે પરંતુ ભરૂચમાં નર્મદા નદી પર બનાવેલા નર્મદા મૈયા બ્રિજ લોકો માટે મોતને વ્હાલું કરવા માટેની ઓળખ બની ગયો છે આત્મહત્યા કરવા માટે લોકોની પસંદગી બની ગઈ છે ત્યારે ભરૂચના સામાજીક કાર્યકરોએ બ્રિજની બન્ને તરફ જાળી લગાવવા માંગ કરી હતી.
આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં લઈ વહીવટી તંત્ર હરકતમાં આવ્યું હતું. ભરૂચ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર બ્રિજની બંને તરફ રૂપિયા 1.84 કરોડના ખર્ચે જાળી લગાવવા માટેની વહીવટી મંજૂરી વડોદરા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર પાસે માંગી હતી ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા બ્રિજની બંને તરફ જાળી લગાવવા માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.
Advertisment
નર્મદા મૈયા બ્રિજના રીવર પોર્શનમાં પ્રોવાઈડીંગ એન્ડ ફીક્સીંગ  વાયરમેશ જાળી ફોર પ્રોટેક્શન સેફ્ટી ગ્રિલ નાખવા માટે મોકલેલી દરખાસ્તને સૈદ્ધાંતિક મંજૂરી મળી જતા બ્રિજના રીવર પોર્શનમાં બંને તરફ અંદાજિત રૂ.1.84 કરોડના ખર્ચથી સમયમર્યાદામાં અને ગુણવત્તાસભર ૧.૪૬૨ કીમી  બ્રિજની બંને તરફ લાંબી સેફ્ટી ગ્રિલ બનાવવામાં આવશે..
Advertisment