New Update
અફઘાનિસ્તાનના બદખ્શાન પ્રાંતની રાજધાની ફૈઝાબાદમાં ગુરુવારે થયેલા આત્મઘાતી હુમલામાં ઓછામાં ઓછા 16 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે લોકો અહીં ડેપ્યુટી ગવર્નરને વિદાય આપવા લોકો એકઠા થયા હતા. સ્થાનિક હોસ્પિટલના ઈન્ચાર્જે કહ્યું- અત્યાર સુધીમાં 16 મૃતદેહો મળ્યા છે. મૃતકોની સંખ્યા ઘણી વધી શકે છે કારણ કે ત્યાં ઘણા લોકો હાજર હતા. માર્યા ગયેલાઓમાં એક વરિષ્ઠ તાલિબાન કમાન્ડર પણ સામેલ છે. કેટલાક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલો આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (ISIS-K)ના ખોરાસાન જૂથ દ્વારા કરવામાં આવ્યો હતો
Latest Stories