Connect Gujarat
દુનિયા

વિજય માલ્યાને લંડનમાં તેના આલીશાન ઘરમાંથી કાઢી મુકવામાં આવી શકે છે - બ્રિટિશ કોર્ટ

ઉદ્યોગપતિ વિજય માલ્યાને લંડનમાં તેમના આલીશાન મકાનમાંથી બહાર કાઢવાના આદેશ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી.

વિજય માલ્યાને લંડનમાં તેના આલીશાન ઘરમાંથી કાઢી મુકવામાં આવી શકે છે - બ્રિટિશ કોર્ટ
X

બ્રિટનની એક કોર્ટે મંગળવારે ભારે દેવાના બોજ હેઠળ દબાયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાને લંડનમાં તેમના આલીશાન મકાનમાંથી બહાર કાઢવાના આદેશ પર રોક લગાવવાની અરજી ફગાવી દીધી હતી.

સ્વિસ બેંક UBS સાથે લાંબા સમયથી ચાલી રહેલા કાયદાકીય વિવાદમાં માલ્યાનું ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. માલ્યાએ આ આદેશના પાલન પર સ્ટે માંગ્યો હતો. લંડન હાઈકોર્ટના ચેન્સરી ડિવિઝનના જજ મેથ્યુ માર્શે તેમના ચુકાદામાં જણાવ્યું હતું કે માલ્યા પરિવારને બાકી રકમની ચુકવણી માટે વધારાનો સમય આપવાનું કોઈ કારણ નથી. મતલબ કે માલ્યાને આ પ્રોપર્ટીમાંથી બહાર કરી શકાય છે. માલ્યાએ આ સ્વિસ બેંકની 204 મિલિયન પાઉન્ડની લોન પરત કરવાની છે. માલ્યાની 95 વર્ષીય માતા લંડનના આ ઘરમાં રહે છે. માલ્યા માર્ચ 2016માં યુકે ભાગી ગયો હતો. તે 9,000 કરોડ રૂપિયાની લોનની ગેરરીતિ અને મની લોન્ડરિંગના કેસમાં ભારતમાં વોન્ટેડ છે. આ લોન ઘણી બેંકોએ કિંગફિશર એરલાઈન્સને આપી હતી. 65 વર્ષીય માલ્યા હાલમાં યુકેમાં જામીન પર બહાર છે. એવું માનવામાં આવે છે કે પ્રત્યાર્પણ પ્રક્રિયા સંબંધિત એક અલગ કેસમાં દેશમાં આશ્રયના મુદ્દા પર ગોપનીય કાનૂની કાર્યવાહીના નિરાકરણ સુધી તે જામીન પર રહી શકે છે.

Next Story