અંકલેશ્વર ને.હા.નં 8 પર અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું કરુણ મોત
BY Connect Gujarat26 March 2017 8:21 AM GMT
X
Connect Gujarat26 March 2017 8:21 AM GMT
અંકલેશ્વર ને.હા.નં 8 અંબિકા મોટર્સ પાસે અજાણ્યા વાહન ચાલકે એક બાઈક સવારને અડફેટમાં લેતા તેનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.સુરત થી ભરૂચ બાઈક પર જતા વજારામ ચંદારામ અંકલેશ્વર ને.હા.નં 8 પરથી પસાર થઇ રહ્યા હતા,ત્યારે અંબિકા મોટર્સ પાસે તેઓની બાઇકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી,અને અકસ્માત સર્જાતા વજારામને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી,જેના કારણે તેઓનું ઘટના સ્થળ પરજ કરુણ મોત નિપજ્યુ હતુ.બનાવ અંગે શહેર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.
Next Story