અંકલેશ્વરઃ નર્મદામાં ગરકાવ થયેલા યુવાનનો મળ્યો મૃતદેહ, પરિવારનું આક્રંદ

New Update
અંકલેશ્વરઃ નર્મદામાં ગરકાવ થયેલા યુવાનનો મળ્યો મૃતદેહ, પરિવારનું આક્રંદ
  • ફળીયામાં થયેલ મોતમાં બોરભાઠા બેટ ખાતેના સ્મશાને ગયેલ યુવાન નદીમાં નહાવા જતા ડૂબ્યો હતો.
  • અંકલેશ્વર ફાયર લાશ્કરો દ્વારા શોધખોળ બાદ લાસ મળતા પરિવારમાં ગમગીની

અંકલેશ્વર ખાતે ગુજરાત હાઉસીંગ બોર્ડ માં રહેતા ૩૫ વર્ષીય ચિરાગ રમણભાઇ શાહ તા.૨૧મીના રોજ તેમના જ ફળીયામાં મોત થયું હોય મૃતકની અંતિમવિધિમાં બોરભાઠા ખાતેના સ્મશાને ગયા હતા. દરમિયાન સ્મશાનેથી નર્મદા નદીમાં નહાવા જતા તેમનો પગ લપસતા તેઓ નદીમાં ડુબવા લાગ્યા હતા. અનેક પ્રયત્નો છતાં ચિરાગ શાહ પાણીની બહાર નિકળવામાં સફળ ન થતા અંતે નર્મદામાં ડૂબી જતા લાપતા બન્યા હતા.

આ ધટનાની જાણ તેમની સાથે સ્મશાને અંતિમવિધિમાં ભાગ લેવા ગયેલ મિત્રોને થતાં તેમણે પણ નર્મદાતટે તેમજ પાણીમાં ચિરાગ શાહની શોધ આરંભી હતી. પણ ચિરાગનો કોઇ પત્તો ન લાગતા આખરે ઘટનાની જાણ ચિરાગના ઘરે તેમજ અંકલેશ્વર ફાયર વિભાગને કરતા ફાયર લાશ્કરોએ નહાવા પડતા લાપતા બનેલ યુવાન ચિરાગ શાહની શોધ આંરભી હતી. અંકલેશ્વર ફાયર લાશ્કરોની ભારે મહેનત બાદ આખરે તા.૨૩મીના રોજ લાપતા બનેલ ચિરાગ શાહને શોધવામાં સફળતા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ૩૫ વર્ષીય જુવાંજોધ આશાસ્પદ ઘર્ના ચિરાગ સમા ચિરાગની લાસ માળતાજ તેના પરિવારજનોના માથે પહાડ તુટી પડ્યો હતો. તેમના આક્રંદે હાજર સૌની આંખો ભીની કરી હતી. ઘટના અંગે અંકલેશ્વર શહેર પોલીસે મૃતક ચિરાગની લાસને પી.એમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી આરંભી હતી.

Read the Next Article

રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરાઇ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે. તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

New Update
વરસાદ

રાજ્યના ઘણા વિસ્તારોમાં આજે હળવાથી ભારે વરસાદ પડ્યો છે. ભાવનગર પંથકમાં ભારે વરસાદ પડ્યો છે.

તો બીજી તરફ આગામી ત્રણ કલાકમાં હળવાથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી ત્રણ કલાકમાં ભારેથી મધ્યમ અને હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ, ગીર સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગરમાં ગાજ વીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત, નવસારી, આણંદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જુનાગઢ અને પોરબંદરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે, સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને બોટાદમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ તબાહી મચાવી દીધી છે. ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા છે, જેમાં કેટલાકને હાઇ એલર્ટ અને એલર્ટ પર મુકવામાં આવ્યા છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, રાજ્યમાં 11 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે. જેમાં 13 ડેમ એલર્ટ પર તો 10 જળાશય વૉર્નિંગ લેવલ પર મુકાયા છે. રાજ્યના 9 જળાશય 100 ટકા ભરાયા છે.

Latest Stories