અંકલેશ્વરમાં સાત સુરોના સરનામે કાર્યક્રમમાં સંગીત રસથી તરબોળ કરતા યુવા

New Update
અંકલેશ્વરમાં સાત સુરોના સરનામે કાર્યક્રમમાં સંગીત રસથી તરબોળ કરતા યુવા

અંકલેશ્વરમાં સંગીત ક્ષેત્રની ઉભરતી પ્રતિભાવોને પ્લેટફોર્મ આપતો એક કાર્યક્રમ તારીખ 29મી જુલાઈની રાત્રીએ AIA ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

અંકલેશ્વરના સંગીતકાર અતીત કાપડીયા તેમજ રિધ્ધીમા કાપડીયા દ્વારા લુપીન લી. નાં સહયોગથી આયોજીત સાત સુરોના સરનામે કાર્યક્રમમાં અંદાજે 35 જેટલા યુવા ગાયકોએ હિન્દી તેમજ ગુજરાતી ગીતોની સુરાવલી પ્રસ્તુત કરીને ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે લુપીન લી.ના વાઇસ પ્રેસીડન્ટ ડી.એમ.ગાંધી,ઉદ્યોગ મંડળના પ્રમુખ મહેશભાઈ પટેલ, કામદાર નેતા અને ભરૂચ જિલ્લા એનસીપીના પ્રમુખ ડી.સી.સોલંકી સહિતનાં આમંત્રિતો ખાસ ઉપસ્થિત રહી યુવા કલાકારોને પ્રોત્સાહન પૂરુ પાડયુ હતુ.

Latest Stories