/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2017/10/amit-shah-kerala_story_647_053117115500.jpg)
આવતી કાલથી બે દિવસ માટે એશજીવીપી ખાતે મળશે ભાજપની ચિંતન શિબિર
આગામી લોકસભા-2019ની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામા આવી છે. ત્યારે આતી કાલથી બે દિવસ માટે ભાજપની ચિંતન શિબિર યોજાવાની છે. તારીખ 24 અને 25 જૂનનાં રોજ એસજીવીપી ખાતે આ શિભિર મળશે. આ તબક્કે રાજ્યની તમામ લોકસભા બેઠકો પર ભગવો લહેરય તે માટે રોડમેપ તૈયાર કરવામાં આવશે.
વિધાન સભાની ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોને જોતાં લોકસભાની તમામ બેઠકો જીતવી ભાજપ માટે હવે લોઢાના ચણા ચાવવા બરાબર થશે. ભાજપનાં જ આંતરિક સર્વે મુજબ 70 ટકા બેઠકો પર જોખમ સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના એસજીવીપી ખાતે બે દિવસની ભાજપની ચિંતન શિબિર યોજાવાની છે. જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, ભીખુભાઇ દસસાણિયા સહિતના નેતાઓ આગામી લોકસભા ચૂંટણીને અનુલક્શીને ભાજપના આંતરિક સર્વેને અનુલક્ષીને મંથન કરશે. રાજ્યની 26 લોકસભા બેઠકોમાં સૌથી વધુ 8 બેઠકો સૌરાષ્ટ્ર-કચ્છની છે. ત્યારબાદ અનુક્રમે ઉત્તર ગુજરાતની 7, મધ્ય ગુજરાતની 6 અને દક્ષિણ ગુજરાતની 5 બેઠકો છે. જેમાંથી માત્ર 6 બેઠકો જેવી કે ગાંધીનગર , સુરત, વડોદરા, અમદાવાદ પશ્ચિમ, ભાવનગર, પોરબંદર ભાજપ માટે સલામત કહી શકાય, બાકીની 20 બેઠકો પર ભાજપ માટે ખતરો ઊભો કરી રહી છે.
ભાજપમાંથી કેટલાક વર્તમાન સાંસદોને પડતા મૂકવા પડે તેવી સ્થિતિ
ગાંધીનગરમાં લાલકૃષ્ણ અડવાણી હવે 90 વર્ષના થઇ ચૂકયા છે. ઉંમર અને ઇચ્છા શક્તિનો અભાવ અહીં ઉમેદવાર બદલવા માટે કારણભૂત છે. હવે તેમની પોતાની જ ઇચ્છા ચૂંટણી લડવાની નથી તેમ મનાઇ રહ્યુ છે.
પાટણમાં લીલાધર વાઘેલા ચૂંટાયા પછી તદન નિષ્ક્રિય છે. ઉંમરલાયક હોવાથી નેક્સ્ટ ચૂંટણી લડી શકે તેમ નથી, તદઉપરાંત તેમના પુત્રએ હાલમાંજ ભાજપ છોડી કોંગ્રેસનો ખેસ પહેરી લીધો છે. અને પુત્રએ કોંગ્રેસનો ખેસ પહેર્યા બાદ લીલાધર વાઘેલાએ પક્ષમાં રહીને પક્ષ વિરોધી નિવેદનો શરુ કરી દીધા છે.
સુરેન્દ્રનગરમાં દેવજી ફતેપરા સામે ઘણાં કાનૂની કેસ છે. તે બીજેપીમાં હોવા છતાં બીજેપીને ટેકન ફોર ગ્રાન્ટેડ તરીકે લેવા માટે જાણીતા છે. તેઓ ચુવાડીયા કોળી છે. ને ભાજપે જીતવું હોયતો તળપદા કોળીને ટીકીટ આપવી પડે તેમ છે.
વલસાડમાં કે.સી.પટેલ કે.સી.પટેલ પર અગાઉ યુપીની એક એડવોકેટ જાતીય શોષણનો આરોપ લગાવી ચૂકી છે. આ આરોપને લઇને તેમના મત ક્ષેત્રમાં તેમની પ્રતિષ્ઠા ખરડાઇ છે. જે આગામી ચૂંટણીમાં અવરોધ બને તેમ છે.
એક સમયે શંકરસિંહ વાઘેલા સાથે ખજુરાહો કાંડમાં શામેલ ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ બેફામ એન્ટી બીજેપી નિવેદનો શરુ કર્યા છે. પક્ષમાં રહીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ ભાજપ માટે નુકશાન કારક છે.
જીગ્નેશ મેવાણી જેવા દલિત યુવાઓ સામે ભાજપને કોઇ આક્રમક દલિત નેતા ની જરુર છે. અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી આક્રમક નેતા નથી. તેમજ એન્ટી ઇન્કમબન્સી ટાળવા પણ હવે તેમને બદલવા જરુરી છે.
સાબરકાંઠા દિપસિંહ રાઠોડનો તેમના મતક્ષેત્રમાં ભારે વિરોધ છે. ત્યાંના સ્થાનિક ભાજપમાં પણ તેમની સામે રોષ છે.
પંચમહાલમાં પ્રભાતસિંહ ચૌહાણ ફીઝીકલી ફીટ નથી. પ્રજા માટે દોડવુ પડે પરંતુ, તે ખુદ ચાલી શકવાની સ્થિતિમાં પણ નથી. તદઉપરાંત અગાઉ વિધાનસભા ચૂંટણીમાં પુત્રવધુને ટિકીટ આપવા મામલે બબાલ ના ઘર કરીને પોતાનું મહત્વ ગુમાવ્યુ છે.
મહેસાણામાં પાટીદારોની સંખ્યા વધારે છે. પરંતુ, જયશ્રીબેન પટેલ એક પાટીદાર મહિલા તરીકે મતદાતાઓને આકર્ષવામાં નિષ્ફળ નિવડયા છે. અહીંથી વિધાનસભામાં નિતીન પટેલ પણ માંડ-માંડ જીતી શકયા હતા.
અમરેલીમાં વિધાનસભા ચૂંટણીમાં આખુ અમરેલી એન્ટી બીજેપી બન્યુ અને પરિણામોમાં જે ખુવારી વહોરવી પડી તે જોતાં હવે અહીંયા નારણભાઇ કાછડિયાના મજબૂત ઓપ્શન આવશ્યક બની ચૂકયો છે.
અમદાવાદ પૂર્વમાં પરેશ રાવલને લોકો વચ્ચેના નેતા બનવાની તક મળવા છતાં, પરેશ રાવલને માત્ર અભિનેતા બની રહેવામાં રસ છે. લોકોપયોગી કાર્યોના નામે નહિંવત કામગીરી હોવાને કારણે લોકોમાં રોષ છે. અમદાવાદ પૂર્વમાં લઘુમતીઓની સંખ્યા વધુ હોવાને કારણે આ સીટ પર ઉમેદવારમાં બદલાવ થઈ શકે છે.
પોરબંદરમાં વિઠ્ઠલ ભાઇ રાદડિયાની તબિયત સતત નાદુરસ્ત હોવાને કારણે આ સીટ પર ઉમેદવાર બદલવો ફરજીયાત છે.