Connect Gujarat
Featured

અરવલ્લી : મોડાસાના ગાજણ ગામે એક જ પરિવારના 4 લોકોએ કર્યો સામૂહિક આપઘાત

અરવલ્લી : મોડાસાના ગાજણ ગામે એક જ પરિવારના 4 લોકોએ કર્યો સામૂહિક આપઘાત
X

અરવલ્લી જિલ્લામાં એક જ પરિવારના ચાર લોકોએ સામુહિત આત્મહત્ય કરી લેચા ચકચાર મચી જવા પામી છે, ઘટના મોડાસા તાલુકાના ગાજણ ગામે બની છે.

મોડાસા તાલુકાના ગાજણ ગામે એક એવી ઘટના ઘટી કે, સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ગાજણ ગામે રહેતા કાળુસિંહ પરમાર, જ્યોતિબેન તેમજ બે બાળકો મયંક અને ભવ્ય આ તમામ લોકોએ એકસાથે જીવન ટૂંકાવી દીધું.. સાંજના અરસામાં સ્થાનિક લોકોને ગામના ડુંગર વિસ્તારમાં એક ઝાડ પર ચારેય લોકોના મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળતા, ગ્રામજનોને જાણ કરાઈ હતી,, ઘટનાની જાણ થતાં મોડાસા ગ્રામ્ય પોલિસ, મોડાસા પ્રાંત કચેરીના અધિકારીઓ, મામલતદાર મોડાસા સહિતના અધિકારીઓ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા...જોકે આ પરિવારે કયા કારણોસર જીવન ટૂંકાવ્યું તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી.. પોલિસે કારણ જાણવા માટે કવાયત તેજ કરી છે.

પરિવારજનોનું માનીએ તો રાત્રીના સમયે ઘરેથી ચાલ્યા ગયા હતા, જેને લઇને કુટુંબીજનોએ શોધખોળ કરી હતી, પણ કોઇ જ મળી આવ્યું નહીં,, સાંજના અરસામાં આ તમામ લોકોના મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળતા તમામ લોકોના પત તળેથી જમીન સરકી ગઇ,, પણ બે નાના બાળકો સાથે પિતા અને માતાના આત્મહત્યાથી અનેક સવાલો ઉઠી રહ્યા છે,

મોડાસા પંથકમાં એક જ પરિવારના ચાર લોકોએ સામુહિક આત્મહત્યાને પગલે વહીવટી તંત્ર પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી,, પણ કયા કારણોસર આ પરિવારે જીવન ટૂંકાવ્યું તે કારણ પણ આ પરિવાર સાથે હાલ રહસ્યમય છે..

Next Story