ખેડૂતોને પાકવીમો અપાવવા સરકાર કટિબદ્ધ : વિજય રૂપાણી

New Update
ખેડૂતોને પાકવીમો અપાવવા સરકાર કટિબદ્ધ : વિજય રૂપાણી

મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે બોપોર બાદ પોતાના હોમટાઉન રાજકોટમાં અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ તકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયા સાથે વાતચીત કરતા મગફળીની ખરીદી અને પાકવીમા અંગે માહિતી આપી હતી.

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ જણાવ્યું હતું કે , મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિવેદન મગફળીની ખરીદીમાં ગત વર્ષની જેમ ગોટાળા ન થાય અને સંપૂર્ણ પારદર્શક રીતે થાય તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર પુરવઠા વિભાગને સોંપી છે. સાથેજ નાફેડના મિત્રો સાથ સહકાર આપે તેવો અનુરોધ કર્યો હતો.

પાકવીમા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, પાકવીમા કંપનીઓ સાથે પણ તબક્કા વાર મિટિંગ કરવામાં આવી રહી છે,સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ઝડપી અને પૂરતો પાકવીમો મળે એ માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે.

Latest Stories