ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશન–ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર કાર્યરત કરવા મુખ્યમંત્રીની મંજૂરી

New Update
ગુજરાતમાં ઓટોમેટિક વેધર સ્ટેશન–ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર કાર્યરત કરવા મુખ્યમંત્રીની મંજૂરી

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં અસરકારક અને સુદ્રઢ વોટર રીર્સોસીસ મેનેજમેન્ટની વિવિધ કામગીરી માટે રીયલ ટાઇમ ઇન્ફરમેશન સીસ્ટમ પ્રસ્થાપિત કરવા ર૬.રપ કરોડ રૂપિયાના કામો મંજૂર કર્યા છે.

Advertisment

આ હેતુસર રાજ્યમાં સર્ફેસ વોટરની રીયલ ટાઇમ ઇન્ફોરમેશન સિસ્ટમ માટે ૮ર નવા ઓટોમેટિક વેધર સ્ટેશન ઊભા કરવા ઉપરાંત પ્રવર્તમાન પ૦ ઓટોમેટીક સ્ટેશન્સનું અપગ્રેડેશન પણ કરવામાં આવશે. રાજ્યની નદીઓ તેમજ મોટા જળાશયો ડેમ પરના પાણીના સ્તરની જાણકારી પણ રીયલ ટાઇમ અને આપોઆપ મળી રહે તે માટે ૧૦૪ નદીઓ તથા ૭૬ મોટા જળાશયો ડેમ ઉપર ઓટોમેટિક વોટર લેવલ રેકોર્ડર નાંખવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સરફેસ વોટર અને ગ્રાઉન્ડ વોટર માટે નેશનલ હાઇડ્રોલોજી પ્રોજેકટ અંતર્ગત ભારત સરકારે કુલ રૂ. ૧૦૧ કરોડ આઠ વર્ષના સમયગાળા માટે ૧૦૦ ટકા ગ્રાન્ટ તરીકે ગુજરાત માટે મંજૂર કરાયા છે. તદ્દઅનુસાર, રાજ્યમાં વોટર રીર્સોસ ઇન્ફરમેશન સિસ્ટમ, પબ્લીક અવેરનેસ, હાઇડ્રોલોજીકલ મોડેલીંગ, રીસર્ચ એકટીવીટી, સ્ટડીસ અને ટ્રેઇનીંગ તથા કેપેસિટી બિલ્ડીંગની બહુવિધ કામગીરી હાથ ધરાશે.

Advertisment
Read the Next Article

સંઘપ્રદેશ દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો, દાહોદથી 3 તસ્કરોની ધરપકડ

તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

New Update
  • સંઘપ્રદેશ દમણ ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મળી સફળતા

  • 20 દિવસમાં જ રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલ્યો

  • દાહોદ ખાતેથી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી

  • સોનું અને 8 હજાર UK પાઉન્ડ રોકડની થઈ હતી ચોરી

  • પોલીસે 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું રિકવર કર્યું 

Advertisment

સંઘપ્રદેશ દમણ પોલીસે માત્ર 20 દિવસમાં જ મોટી દમણમાં થયેલી રૂ. 1.33 કરોડની ચોરીનો ભેદ ઉકેલી કાઢી 3 આંતરરાજ્ય તસ્કરોની ધરપકડ કરી રૂ. 18.17 લાખની કિંમતનું 261.530 ગ્રામ સોનું જપ્ત કર્યું છે.

ગત તા. 28 ફેબ્રુઆરી-2025ના રોજ સંઘપ્રદેશ દમણના મોટી દમણ વિસ્તારમાં આવેલ મંદિર શેરી વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઈ ટંડેલના ઘરમાંથી ચોરી થઈ હતી. ટંડેલ પરિવાર લંડનથી ભારત આવ્યો હતોત્યારે તસ્કરોએ રાત્રે 2 વાગ્યા બાદ ઘરમાં પ્રવેશ કરી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સોનું અને 8 હજાર UK પાઉન્ડની રોકડ રકમની ચોરી કરી હતી. આ સાથે જ શ્રી રણછોડરાયજી મંદિરની દાનપેટીમાં રહેલ 20થી 25 હજારની રોકડ પર હાથફેરો કર્યો હતો. સમગ્ર મામલે દમણ ક્રાઇમ બ્રાન્ચના PSI ભરત પરમારના નેતૃત્વમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.

જેમાં ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે દાહોદથી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ચોરીને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત મોતીલાલ પંચાલ જે 50થી વધુ ગુનાઓમાં સંડોવાયેલો છે. તે ગુજસીટોક હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છેજ્યારે અન્ય 2 આરોપીઓમાં જિજ્ઞેશ રાજુભાઈ પંચાલ અને પંકજકુમાર ઉર્ફે પુનીત ભરતભાઈ સોનીનો સમાવેશ થાય છે.

પોલીસે આરોપીઓ પાસેથી 18 લાખ રૂપિયાનું 26 તોલા સોનું પણ રિકવર કર્યું છે. હાલ સમગ્ર મામલામાં વધુ લોકો સામેલ હોય તેવું પોલીસ જણાવી રહી છેત્યારે આગામી તપાસમાં વધુ લોકોને પોલીસ દ્વારા પકડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે. દમણ પોલીસની ઝડપી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

Advertisment
Latest Stories