Connect Gujarat
Featured

જામનગર : કોંગ્રેસ અને ASUI દ્વારા બેરોજગારીના મુદે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ કરી અટકાયત

જામનગર :  કોંગ્રેસ અને ASUI  દ્વારા બેરોજગારીના મુદે વિરોધ પ્રદર્શન કરતાં પોલીસ કરી અટકાયત
X

જામનગરમાં શહેર કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા બેરોજગારીના મુદે વિરોધ પ્રદર્શન કરવામાં આવતા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

જામનગરમાં કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા બેરોજગારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાંં આવી રહ્યું હતું. ત્યારે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં એનએસયુઆઇ અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો બેરોજગારીનાા મુદ્દે હાથમાં ડિગ્રીઓની પ્રતિકૃતિ લઈ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને આ કાગળ સળગાવી વિરોધ કરવા જતા ૩૦ જેટલા કોંગ્રેસી અગ્રણીઓની પોલીસેે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી ત્યારે પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો છે ઝપાઝપી ના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટના દરમિયાન જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા પોલીસ વિરોધ પ્રદર્શન કરી રહેલા રહેલા રહેલા કરી કરી રહેલા કોંગ્રેસી કાર્યકરોની ટીંગાટોળી કરી પોલીસવાનમાં સીટી બી ડિવિઝન ખાતે લઈ જવાયા હતા

Next Story