Connect Gujarat
ગુજરાત

ન્યુઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં ભરૂચના લુવારા ગામનો ઇસમ ગોળીથી ઘાયલ

ન્યુઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં ભરૂચના લુવારા ગામનો ઇસમ ગોળીથી ઘાયલ
X

લુવારાના હાફેજ મુસાને ક્મ્મરના નીચેના ભાગે ગોળી વાગતા સારવાર હેઠળ

ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.જ્યારે કેટલાક લોકો ઘાયલ થવા પામ્યા હતા.જેમાં ભરૂચના લુવારાના ઇસમને ગોળી વાગતા સારવાર હેઠળ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ ભારતમાં રહેતા તેઓના પરિવારજનોને થતાં તેમના જીવ અધ્ધર થઈ જવા પામ્યા હતા.

ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ગતરોજ બનેલ આતંકી ઘટનાનો વિશ્વના દેશોએ વખોડી કાઢી છે.બે મસ્જિદમાં થયેલ આતંકી હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો હતો.જ્યારે કેટલાક લોકો ઘાયલ થયા હતા.આ આતંકી હુમલાને કારણે ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયેલા ભારતીય પરિવારોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો. સૂત્રો દ્ધારા મળતી માહિતી મુજબ આતંકી હુમલાનો ભોગ ભરૂચના લુવારા ગામના હાફેજ મુસા વલી પણ બન્યા હતા.તેઓને ક્મ્મર થી નીચેના ભાગે ગોળી વાગી હતી. ગોળીથી ઈજાગ્રસ્ત થયેલ હાફેજ મુસા વલી હાલ સારવાર હેઠળ હોવાની માહિતી સાંપડી છે.

Next Story