રાજકોટઃ ટી સ્ટોલમાં મનપાના દરોડા, 7000 પ્લાસ્ટીક કપ કબ્જે કરાયા

New Update
રાજકોટઃ ટી સ્ટોલમાં મનપાના દરોડા, 7000 પ્લાસ્ટીક કપ કબ્જે કરાયા

શહેરમાં પ્લાસ્ટીક બેન મૂકવામાં આવતાં સૌથી પહેલા પાણીની પાઉચ બંધ કરાયા હતા

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીના પાઉચ બાદ પ્લાસ્ટીકના ચા ના કપ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. મનપા કમિશ્નર બંચ્છાનીધી પાની દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. પ્રતિબંધને લઇને શહેરના અનેક સ્થળો પર મનપા કમિશ્નરના આદેશ બાદ ચા ના કપને લઇને દરોડા પાડવામા આવ્યા છે.

શહેરના મવડી ચોક, સૌરઠીયાવાડી અને કોઠારીયા રોડ પરથી મોટા પ્રમાણમા પ્લાટીકના કપ જપ્ત કરવામા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મનપા કમિશ્નર તરીકે વિજય નહેરા હતા ત્યારે પણ પ્લાટીકના કપ પર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો હતો. ફરી એકવાર પ્રતિબંધ ફરમાવવામા આવ્યો છે. શહેર પ્લાસ્ટીક મુક્ત બને અને લોકોના આરોગ્યને ધ્યાનમા રાખીને આ મહત્વપુણૅ નીણૅય લેવામા આવ્યો છે. શહેરજનો એવુ ઇરછી રહ્યા છે કે મનપા આવા સારા નીણૅય કરે તે સારી બાબતે છે પણ બાદમા કડક અમલવારી થાય તે પણ જરુરી છે.

મનપાનાં કમિશ્નર બંચ્છાનિધી પાનીએ આ સંદર્ભે જણાવ્યું હતું કે, રાજકોટમાં અગાઉ પીવાના પાણીના પાઉચ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ત્યારે લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને હવે ચા માટે વપરાતા પ્લાસ્ટીક કપ પર પ્રતિબંધ લાદવામા આવ્યો છે. પ્લાસ્ટીકના કપની જગ્યાએ પેપર કપ અથવા તો ઈકોફ્રેન્ડલી કપનો ઉપયોગ ચા વેચનારાઓ અપનાવે તેવો મહાપાલિકાનો હેતુ છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના ધરાસભ્યોના ખાતામાં રૂપિયા જમા થયા હોવાના કોંગ્રેસના આક્ષેપ,પોલીસની તપાસ સામે કર્યા સવાલ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડ મામલો

  • કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ

  • કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ

  • ભાજપ પર કરાયા પ્રહાર

  • પોલીસની તપાસ સામે સવાલ ઉભા કરાયા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે.

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાય  રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઇ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.