સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો વિશે કરેલી ટીપ્પણીને કોંગ્રેસનાં MLAનો ટેકો

New Update
સાંસદ મનસુખ વસાવાએ શિક્ષકો વિશે કરેલી ટીપ્પણીને કોંગ્રેસનાં MLAનો ટેકો

રાજ્યનાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહે સાંસદનાં નિવેદનને ખોટું ઠેરવ્યું હતું

ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાએ શાળા પ્રવેશોત્સવનાં પ્રસંગે પ્રવચન આપતાં શિક્ષકોને દારૂડિયા અને જુગારીયા ગણાવ્યા હતા. આ મુદ્દે વિવાદ વકર્યો છે. ત્યારે આજે રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે ખુદ સાંસદને ખોટા ઠેરવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાનાં નીચા પરિણામ માટે પણ શિક્ષકોને જ જવાબદાર ઠેરવ્યા હતા.

બીજી તરફ નાંદોદનાં ધારાસભ્ય અને બાદમાં કોંગ્રેસના આગેવાન પી.ડી.વસાવાએ સાંસદનો પક્ષ લીધો હતો. તેમણે પણ સાંસદને ટેકો આપી તેમની વાતમાં શૂર પૂરાવ્યો હતો. અને પ્રાથમિક શાળાનાં શિક્ષકો આવી ગેર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોવા અંગે સાંસદનો સાથ આપ્યો હતો.

સાંસદે કરેલી નિવેદનબાજી સંદર્ભે નારાજગી વ્યક્ત કરતાં નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, સાંસદના આ પ્રકારના નિવેદનથી શિક્ષક સમાજની લાગણી દુભાઈ છે. સાંસદે શિક્ષકો ઉપર લગાવેલા આક્ષેપો સત્યથી વેગળા અને તથ્યહીન છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના ધરાસભ્યોના ખાતામાં રૂપિયા જમા થયા હોવાના કોંગ્રેસના આક્ષેપ,પોલીસની તપાસ સામે કર્યા સવાલ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડ મામલો

  • કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ

  • કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ

  • ભાજપ પર કરાયા પ્રહાર

  • પોલીસની તપાસ સામે સવાલ ઉભા કરાયા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે.

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાય  રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઇ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.