સુરતમાં પિતાની નજર સામે જ અપહરણ કરી બાળકને પૂરના પાણીમાં ફેંકી દીધો

New Update
સુરતમાં પિતાની નજર સામે જ અપહરણ કરી બાળકને પૂરના પાણીમાં ફેંકી દીધો

નદીમાં ૨૦ કિલોમીટર દૂરથી બાળકની લાશ મળી

સુરતના બારડોલીમાં બાળકનું અપહરણ કરીને નદીમાં ફેંક્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. નદીમાં ૨૦ કિલોમીટર દૂરથી બાળકની લાશ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં આજે સોમવારે બંદૂકની અણીએ બાળકનું અપહરણ થયાની ઘટના બની છે. પિતા સાથે મંદિરે ગયેલા બાળકનું અપહરણ કરાતા માતા-પિતામાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળથી માહિતી પ્રમાણે સુરતના લસાણઆના વણેશા ગામનો બાળક પોતાના પિતા સાથે ઘર નજીક આવેલા મંદિરે ગયો હતો. આ સમયે રિક્ષામાં આવેલા ત્રણ અપહરણકારોએ બાળકનું અપહણ કરીને ત્યાંથી ફરાર થઇ ગયા હતા. બાળકના પિતાએ અપહરણકારોનો પીછો પણ કર્યો હતો. પરંતુ અપહરણકારો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જોકે, અપહરણકારોને પકડવામાં બાળકનાં પિતા નિષ્ફળ રહ્યા હતા.

બાદમાં અપહરણકારોએ બાળકને બારડોલી મિઢોળા નદીમાં ફેંકી ફરાર થઇ ગયા હતા. જેના પગલે બારડોલી ફાયર તેમજ બારડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલામાં સઘન તપાસ આદરી છે. અપહરણકારોને પકડવા માટે પોલીસે કમર કસી છે.

Read the Next Article

ભરૂચ: મનરેગા કૌભાંડમાં BJPના ધરાસભ્યોના ખાતામાં રૂપિયા જમા થયા હોવાના કોંગ્રેસના આક્ષેપ,પોલીસની તપાસ સામે કર્યા સવાલ

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
  • ભરૂચનો ચકચારી મનરેગા કૌભાંડ મામલો

  • કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ

  • કોંગ્રેસે યોજી પ્રેસ કોન્ફરન્સ

  • ભાજપ પર કરાયા પ્રહાર

  • પોલીસની તપાસ સામે સવાલ ઉભા કરાયા

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ સંબોધી ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાથે જ પોલીસની તપાસ સામે પણ સવાલ ઊભા કરવામાં આવ્યા છે.

ભરૂચના ચકચારી મનરેગા કૌભાંડ અંગે રાજકારણ ગરમાય  રહ્યું છે. સાંસદ મનસુખ વસાવાએ એજન્સીઓએ કોને કોને પૈસા આપ્યા છે તે તમામ આગેવાનોનું લિસ્ટ તેમની પાસે હોવાના આપેલા નિવેદન બાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ ભાજપના જ નેતાઓને સંડોવણીના આક્ષેપ કર્યા હતા ત્યારે હવે કોંગ્રેસનું પણ આ સમગ્ર મામલે નિવેદન સામે આવ્યું છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોળાએ આ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે સાંસદ મનસુખ વસાવા એજન્સીઓએ જે નેતાઓને રૂપિયા આપ્યા છે એ નેતાઓના નામનું લિસ્ટ તાત્કાલિક જાહેર કરે તેવી તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભરૂચના સ્થાનિક ભાજપના ધારાસભ્યોના ખાતામાં કૌભાંડના રૂપિયા જમા થયા હોવાના તેઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે.બીજી તરફ સમગ્ર કૌભાંડમાં પોલીસ નિષ્પક્ષ તપાસ ન કરી હોવાના આક્ષેપ સાથે સીબીઆઇ તપાસની પણ તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.

Latest Stories