અંકલેશ્વર: જમીન બતાવી રૂપિયા ૨૦ લાખ પડાવી લેનાર ધૂતારા સાધુની પોલીસે કરી અટકાયત

New Update
અંકલેશ્વરઃ પેન્સિલ લેવા જવાનું કહી બે સગીરા થઈ ગુમ, નોંધાયો અપહરણનો ગુનો

અંકલેશ્વરના એક વ્યક્તિને જમીન બતાવી રૂ.20 લાખ પડાવી લેનાર ધૂતારા સાધુની અંકલેશ્વર પોલીસે અટકાયત કરી છે.

Advertisment

અંકલેશ્વરના રહેવાસી અરવિંદભાઇ પટેલને વર્ષ 2013 માં જમીન ખરીદવા બાબતે સહજાનંદ એજ્યુકેશન ટ્રસ્ટના નામે કેટલાક વ્યક્તિઓનો સંપર્ક થયો હતો. અને નર્મદા જિલ્લાની એક જમીનનો સોદો હતો. દરમિયાન સાધુના વેશમાં ધૂતારાએ બાનાખત બનાવી 70 લાખની પેટે રૂ. 20 લાખ પડાવી લીધા હતા. ત્યાર બાદ ભંડોળ ભેગું થશે ત્યારે જમીનનો સોદો કરાશે તેવી વાત થયા બાદ આ નાણાં લઇ તેઓ ફરાર થઇ ગયા હતા. આ અંગે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ મથક ખાતે જે તે સમયે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ ગુનામાં સંડોવાયેલ સ્વામી વિષ્ણુચરણ દાસ નામના વ્યક્તિની નવસારી પોલીસે આવા જ એક ગુનામાં અટકાયત કરી હતી જેને આ ગુનો પણ કબુલતા પોલીસે વિષ્ણુ ચારણ દાસજી સ્વામીની અટકાયત કરી છે. સદર ગુનામાં હજુ કેટલાક આરોપીઓ નાસ્તા ફરતા છે જેઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment
Read the Next Article

જુનાગઢ : ઓઝત નદી કાંઠે બિસ્માર પાળાનું સમારકામ શરૂ, ચોમાસા પહેલાં કામગીરી પૂર્ણ થાય તેવી ખેડૂતોની માંગ...

જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.

New Update
  • દર વર્ષે ભારે વરસાદને લઈ ઓઝત નદી વહે છે બે કાંઠે

  • પાણી વહેતા પાળા તૂટવાની ઘટનાથી સર્જાતો જળબંબાકાર

  • સિંચાઈ વિભાગ દ્વારા ચાલતું બિસ્માર પાળાનું સમારકામ

  • પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી માંગ

  • ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી ખેડૂતોની માંગ

Advertisment

જુનાગઢના ઘેડ પંથકમાં દર વર્ષે ભારે વરસાદને લઈને ઓઝત નદી 2 કાંઠે વહેતા પાળા તૂટવાની ઘટનાથી જળબંબાકાર સર્જાય છે. જોકેહાલ સિંચાઈ વિભાગ દ્વારા બિસ્માર પાળાનું સમારકામ ચાલી રહ્યું છેત્યારે આ પાળા એક મીટર વધુ ઊંચો બનાવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

જુનાગઢ જિલ્લાના કેશોદ પંથકના બામણાસા ઘેડ ગામે ઓઝત નદીના તૂટેલાં પાળાની સિંચાઈ વિભાગ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં ગત વર્ષે 1 કરોડથી વધુ ખર્ચે પથ્થરના બ્લોક (ગેબિયન) સાથે સ્ટેપવાળો પાળો બનાવવામાં આવ્યો હતો. પરંતુ બન્યું એવું કેઅનુભવી ખેડૂતોના કહેવા છતાં આ પાળો અન્ય પાળાની સરખામણીએ 1 મીટર જેટલો નીચો બનાવવામાં આવ્યો હતો. જેને લઈ ચોમાસાની શરૂઆતના પ્રથમ પુરના કારણે નદીનું પાણી પાળાને ઓળંગતા પાળાની પાછળના ભાગની માટીનું ધોવાણ થતાં તૂટી પડ્યો હતો. આ સાથે જ મોટા પ્રમાણમાં ખેતીની જમીનમાં પાણી ફરી વળતાં ખેડૂતોને ફરી નુકશાન થવા પામ્યું હતું.

જોકેહવે ચાલું વર્ષે ચોમાસું નજીક આવી રહ્યું છેત્યારે પાળાનું પુનઃ સમારકામ કરવામાં આવતાં પુરના લેવલની સ્થિતિનો અનુભવ ધરાવતાં ખેડૂતોએ અગાઉ આપેલી સલાહ મુજબ પાળો વધુ 1 મીટર ઉંચો કરવા રજૂઆત કરાતાં કામગીરી ખોરંભે પડી હતીત્યારે ફરીથી આ પાળો તૂટે નહીં તેવી ખેડૂતોની ટેકનિકલી સલાહ ગળે ઉત્તરતાં સિંચાઈ વિભાગના અધિકારી અને કોન્ટ્રાક્ટરે ખેડૂતોની વાત ગ્રાહ્ય રાખી હતીઅને પાળાને એક મીટર ઊંચો બનવવા નિર્ણય લીધો હતો. તો બીજી તરફખેડૂતોએ ચોમાસા પહેલાં પાળો તૈયાર થાય તેવી માંગ કરી છે.

 

Advertisment
Latest Stories