અંકલેશ્વરમાં સગીરાના અપહરણ ઘટના થી ચકચાર

New Update
અંકલેશ્વરમાં સગીરાના અપહરણ ઘટના થી ચકચાર

અંકલેશ્વરમાં 14 વર્ષીય સગીરાના અપહરણની ઘટના પોલીસ ચોપડે નોંધાતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment

અંકલેશ્વરના મહેન્દ્ર નગરમાં રહેતો ગોલુએ તેના ત્રણ સાથીદારોની મદદ થી 14 વર્ષીય સગીરાને બળજબરી તારીખ 21મી નારોજ સાંજે પ્રતિન ચોકડી પાસેથી ટાટા સુમો જીપમાં બદઈરાદા થી ઉપાડીને ફરાર થઇ ગયા હતા.

આ અંગે સગીર યુવતીની માતા એ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણકારોને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisment