/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/12205018/maxresdefault-136.jpg)
અમરેલી
જિલ્લાના સાવરકુંડલા પંથકમાં કમોસમી વરસાદે ખેતીનો દાટ વાળી દેતાં ખેડૂતો આર્થિક
પાયમાલીના આરે આવીને ઉભા રહી ગયાં છે. ગાધકડા અને ગણેશગઢ સહિતના ગ્રામીણ
વિસ્તારોમાં કમોસમી વરસાદમાં મગફળીનો પાક પલળી ગયો છે.
અમરેલી
જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું ગાધકડા ગામની વસતી 7 હજાર લોકોની છે અને મોટાભાગના લોકો
ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. હાલ ગામલોકોની હાલત કમોસમી વરસાદે બગાડી નાંખી
છે. ખેતરોમાં મગફળીના ઊભા કરેલા પાથરાઓ દોઢ થી બે ઇંચ જેટલા વરસાદને કારણે મગફળીનો
પાક નાશ પામી ચુકયો છે. સતત પડતા વરસાદથી ગાધકડા ગણેશગઢ સહિતના ખેડૂતો મુશ્કેલીમાં
મુકાયા છે અને તેમને રોવાના દિવસો આવી ગયાં છે. ખેડૂતો મગફળીના પાથરાઓ સળગાવી દેવા માટે
મજબુર બન્યાં છે. ખેડૂતો તેમની નજર સામે પોતાના પાકને નષ્ટ થતો જોઇ આંસુડા સારી
રહયાં છે પણ કુદરત સામે સૌ કોઇ મજબુર હોય છે. મગફળીના વાવેતરનો ખર્ચો પણ નીકળી શકે
તેમ ન હોવાથી જગતના તાતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.