અરવલ્લી : મામલતદાર કચેરીઓના સફાઇકર્મીઓની દિવાળી બગડવાના એંધાણ

New Update
અરવલ્લી : મામલતદાર કચેરીઓના સફાઇકર્મીઓની દિવાળી બગડવાના એંધાણ

અરવલ્લી જિલ્લાની મામલતદાર કચેરીઓમાં કામ કરતાં સફાઇ કામદારોને આઠ મહિનાથી પગાર ન મળતા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરને આવેદન પત્ર આપ્યું હતું. અરવલ્લી જિલ્લાના ધનસુરા, માલપુર, મોઘરજ, બાયડ, અને ભિલોડા તાલુકાની મામલતદાર કચેરીઓની સાફ-સફાઇ કરતા કર્મચારીઓની દિવાળી આ વખતે બગડે તેવા એંધાણ દેખાઇ રહ્યા છે. આવેદન પત્ર મુજબ આ તમામ તાલુકાઓમાં સફાઇ કામદારોને છેલ્લા આઠ મહિનાથી પગાર નથી થયો, જેને લઇને આ તમામ કર્મચારીઓના પરિવાર પર જાણે આભ તૂટી પડયું હોય તેવું લાગી રહ્યું છે.

Advertisment

publive-image

ગુજરાત વાલ્મીકિ સંગઠનના પ્રમુખ લાલજી ભગતના જણાવ્યા મુજબ જિલ્લાની વિવિધ મામલતદાર કચેરીઓમાં અંદાજે બસો જેટલા સફાઇ કર્મચારીઓ કામ કરી રહ્યા છે.જોકે આતમામ કર્મચારીઓને તહેવાર સમયે જ પગાર ન થતાં પરિવારનું ગુજરાન કેમ ચલાવવું અને તહેવારની ઉજવણી કરવી કે નહીં તે ચિંતા સતાવી રહી છે. એટલું જ નહીં જો સફાઇ કામદારોનો પગાર નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચિંમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

Advertisment