/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/jhgj.jpg)
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના એકલહરે ગ્રામ પંચાયતના નવનિર્મિત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું હતું.
આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતુ .ગામના વિકાસ માટે ગ્રામ પંચાયતો જરૂરી છે. ગ્રામ પંચાયતને આધુનિક સાધનોથી સુસજ્જ કરવામાં આવી છે, રાજ્ય સરકારની ઓનલાઇન સેવાઓ અત્રે ઉપલબ્ધ બની છે. ગામમાં આવેલા સરકારી મકાનો એ ગામના ઘરેણાં છે, જેની સાચવણી કરવાની ગ્રામજનોની જવાબદારી છે. દરેક વિકાસકાર્યોમાં ગ્રામજનો સહયોગ આપે તો ગામનો વિકાસ ઝડપી બને છે. ૧૪મા નાણાપંચ હેઠળ આવતા નાણાંનો સદુપયોગ કરી ગામનો વિકાસ કરવો જાઇએ.
રાજ્ય સરકારે ગામના વિકાસ માટે દીર્ઘદૃષ્ટિ રાખી અનેક યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતની આવક બમણી કરવા માટે આધુનિક પદ્ધતિથી ખેતી કરવા તેમજ ખેતીલક્ષી યોજનાઓ, પાકવીમા યોજનાનો લાભ લેવા પણ જણાવ્યું હતું. વૃક્ષારોપણથી થતા ફાયદાઓ જણાવી દરેક વ્યક્તિ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીમાં સહયોગ આપે તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. ગામમાં સાંસ્કૃતિક ભવન બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મળવાપાત્ર સહાય આપવાની ખાતરી તેમણે આપી હતી.
તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલે આભારવિધિ આટોપી હતી. સરપંચ અમૃતભાઇ પટેલે ગામમાં થયેલા વિકાસકાર્યોની જાણકારી આપી ગામની બાકી સમસ્યાઓના નિરાકરણ માટે રાજ્યસરકારના સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
એકલારા પ્રા.શાળાની વિદ્યાર્થીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત રજૂ કયા* હતાં. આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન પટેલ, અગ્રણી મુકેશભાઇ પટેલ, સરપંચ અમૃતભાઇ પટેલ, તલાટી દીપાલીબેન પાટીલ, ગ્રામ પંચાયતના સભ્યો, વિવિધ ગામોના સરપંચો, નરોત્તમભાઇ પટેલ, અમ્રતભાઇ પટેલ, ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.