Connect Gujarat
ગુજરાત

કચ્છ : માંડવી દરિયા કાંઠાના રામેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારના રહીશોની મકાન ખાલી કરવા મનાઈ!

કચ્છ : માંડવી દરિયા કાંઠાના રામેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારના રહીશોની મકાન ખાલી કરવા મનાઈ!
X

ગુજરાત તરફ વાયુ વાવાઝોડું આગળ ધપી રહ્યું છે. તંત્ર દ્વારા પણ દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરાવવામાં આવી રહ્યા છે. જો કે માંડવી દરિયા કાંઠાના રામેશ્વર ઝૂંપડપટ્ટી વિસ્તારના રહીશો મકાન ખાલી કરવા તૈયાર ન થતા અંતે પોલીસની સમજાવટ બાદ તેઓ સુરક્ષિત સ્થળે જવા રવાના થયા છે.

માંડવી દરિયાકિનારાનો બીચ ગઈકાલથી જ સહેલાણીઓ માટે બંધ કરી દેવાયો છે.તંત્ર દ્વારા સાગર કાંઠા નજીકના વિસ્તારો એલર્ટને ધ્યાને રાખી ખાલી કરાવવામાં આવી રહ્યા છે. ત્યારે માંડવી બીચની નજીક આવેલા રામેશ્વર ઝૂંપડ પટ્ટી વિસ્તારના રહીશો નગરપાલિકાની સમજાવટ બાદ પણ ઘર છોડવા તૈયાર ન થયા હતા. ત્યારે આજે ડીવાયએસપી જે.એન.પંચાલ તેમજ માંડવી પોલીસ, નગરપાલિકા ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તેમજ અન્ય સ્ટાફ અને સ્થાનિક આગેવાનોએ ઘરે ઘરે જઈને લોકોને હાલની સ્થિતિ માટે વાકેફ કર્યા હતા અને સલામત સ્થળે ખસી જવા સુચના આપી હતી. જે અન્વયે સમજાવટ બાદ અંતે તેઓ તંત્ર દ્વારા નક્કી કરાયેલા માંડવી કોલેજ ખાતે સ્થળાંતરીત થવા તૈયાર થયા હતા.

Next Story