કેરળમાં CRPFના 400 જવાન ભોજન લીધા પછી થયા બીમાર

New Update
કેરળમાં CRPFના 400 જવાન ભોજન લીધા પછી થયા બીમાર

કેરળના પલ્લીપુરમાં CRPFના 400 જેટલા જવાનો ભોજન લીધા પછી બીમાર પડ્યા હતા, અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં જવાનો એ ભોજન લીધા પછી તેમના પેટમાં તકલીફ થવા માડી હતી ને ઉલટી થવાની ફરિયાદો બાદ જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

CRPFના અધિકારી આ ઘટનાની તપાસના કરવાનો આદેશ આપ્યો હતો, CRPFના 109 જવાનોને ફ્રુડ પોઇઝનની અસરને કારણે ત્રિવેન્દ્રમ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, અને રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી કે કે શૈલજાએ હોસ્પિટલમાં જઈ જવાનોની મુલાકત લીધી હતી.