Connect Gujarat
સમાચાર

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1390 નવા કેસ નોધાયા,1372 દર્દીઓ થયા સાજા

ગુજરાત રાજ્યમાં કોરોનાના વધુ 1390 નવા કેસ નોધાયા,1372 દર્દીઓ થયા સાજા
X

ગુજરાત રાજયમાં કોરોનાનો કહેર યથાવત છે. રાજ્યમાં આજે કોરોનાના વધુ 1390 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજે વધુ 11 દર્દીના મોત થયા છે. અને રાજ્યમાં આજે 1372 દર્દીઑએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,37,394 પર પહોંચી છે.
જ્યારે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3453 થયો છે.

રાજ્યમાં આજે 11 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 3, સુરતમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં આજે 1390 નવા નોધાયેલ કેસ પૈકી સુરત કોર્પોરેશનમાં 180, અમદાવાદ કોર્પોરેશનમાં 179, સુરતમાં 118, રાજકોટ કોર્પોરેશનમાં 105, વડોદરા કોર્પોરેશનમાં 92, જામનગર કોર્પોરેશનમાં 68, રાજકોટમાં 46, મહેસાણામાં 41, વડોદરામાં 41, બનાસકાંઠામાં 37, પંચમહાલમાં 32, અમરેલી અને પાટણમાં 30-30, ગાંધીનગર કોર્પોરેશનમાં 26, ભાવનગર કોર્પોરેશનમાં 25, ભરૂચમાં 24 કેસ નોંધાયા છે.

રાજ્યમાં હાલ 16,710 એક્ટિવ કેસ છે, જ્યારે 1,17,231 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 86 દર્દી વેન્ટીલેટર પર છે અને 16,624 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં સાજા થવાનો દર 85.32 ટકા છે.


Next Story