ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ LCB

New Update
ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતી ભરૂચ LCB

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં બનતા ઘરફોડ તથા ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા માટે આપેલ સુચના તથા એલ.સી.બી. પો.ઇન્સ જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ વિગત- ભરૂચ શહેર “સી” ડીવીઝન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કસક નજીક ગરીબ નવાઝ મસ્જીદ પાસે આવેલ મકાનમાં રાત્રીના સમયે ઘરફોડ ચોરી થયેલ જે બાબતે ભરૂચ શહેર “સી” ડોવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવા પામેલ.

આ ગુનામાં એલ.સી.બી.દ્વારા વિઝીટ કરી પ્રાથમિક રીતે આરોપીનો તાગ મેળવવાના પ્રયત્નો શરૂ કરી પો.સબ.ઇન્સ એ..એસ,ચૌહાણે ટીમ બનાવી ચક્રો ગતીમાન કર્યા હતા અને એલ.સી.બી.ના ટેક્નિકલ વિભાગને પણ તે દિશામાં ગુનો શોધી કાઢવા જરૂરી સુચના આપવામાં આવી હતી.દરમ્યાન એલ.સી.બી.ને ટેક્નિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇટેલીજન્સના આધારે બે આરોપી અલ્તાફ ઉર્ફે બોળી બચુભાઇ શેખ રહે.પાણીગેટ એકતાભવનની સામે બાવામાનપુરા, વડોદરા શહેર, ઇલ્યાસ ઉર્ફે ડેમો શબ્બીરખાંન બશીરખાંન પઠાણ રહે. વાઘોડીયાવાડ મોટાબજાર ફુરજા રોડ. ભરૂચને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલ વીવો કંપનીનો ૪૯૩ મોબાઇલ કિ ૧૦,૦૦૦/- તથા અન્ય બે મોબાઇલ જેની કિં રૂપિયા ૧૦૦૦/- મળી કુલ રૂપિયા ૧૧,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લઇ તેમના વિરૂધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભરૂચ શહેર “સી” ડીવીઝન પોલીસ કરી રહી છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.