ઝઘડીયા : ભાલોદ ગામે નર્મદા નદીમાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળ્યો
BY Connect Gujarat2 Dec 2019 3:27 PM GMT
X
Connect Gujarat2 Dec 2019 3:27 PM GMT
ભાલોદ ગામે નર્મદા નદીના કિનારા પર વહેલી સવારે એક પુરૂષનો મૃતદેહ તરતો જોવા મળતાં સ્થાનિક માછીમારોએ રાજપારડી પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવ્યો હતો. મૃતક પુરૂષના માથા પર ભગવા રંગનો એક કપડું બાંધેલું હતુ તેથી કોઈ સાધુ સંતની લાશ હોય તેમ લાગી રહ્યું છે.
લાંબો સમય પાણીમાં રહેવાના કારણે મૃતદેહ વિકૃત બની ગયો હોવાથી સ્થળ પર જ પોસ્ટમોર્ટમ કરી નાંખવામાં આવ્યું હતું. મૃતકની હત્યા કરી મૃતદેહ નદીમાં નાંખી દેવાયો છે કે તેનું ડુબી જવાથી મોત થયું છે તેમજ મૃતક કોણ છે સહિતની બાબતોની તપાસ રાજપારડી પોલીસે હાથ ધરી છે.
Next Story