ટેકનિકલ ખામીનાં કારણે ભાવનગર પાસે ખેતરના ઉભા પાકમાં વાયુ સેનાના હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડીંગ

New Update
ટેકનિકલ ખામીનાં કારણે ભાવનગર પાસે ખેતરના ઉભા પાકમાં વાયુ સેનાના હેલિકોપ્ટરનું કરાયું ઇમરજન્સી લેન્ડીંગ

ભારતીય વાયુ સેનાના સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના હેલિકોપ્ટરમાં ટેકનિક ખામી સર્જાતા ભાવનગર પાસેના ખેતરમાં ઈમરજન્સી લેન્ડીંગ કરવું પડ્યું હતું. આ હેલિકોપ્ટર સુરતથી જામનગર તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન ટેકનિકલ ખામી સર્જાતા ખેતરમાં જ ઈમરજનસી લેન્ડીંગ કરવું પડ્યું હતું. હેલિકોપ્ટરમાં રહેલા ક્રુ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળી રહ્યું છે. ગામના ખેતરમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડીંગ થતાં ખેડૂતોમાં કૂતુહલવસ તેને જોવા દોડી ગયા હતા.

સુરતની કટોકટીની કામગીરી માટે કાર્યરત એરફોર્સનાં હેલિકોપ્ટરને કુકડ ગામ, ઘોઘા, ભાવનગર નજીક જવું પડ્યું હતું. તમામ ઓન-બોર્ડ સલામત છે. કોઈ તબીબી સહાયની જરૂર નથી. વહીવટી સહાય અને તેમની સલામતી માટે પોલીસ અને મામલતદાર અને સરપંચ સ્થળ ઉપર પહોંચ્યા હતા. હેલિકોપ્ટરમાં સવાર ૯ લોકો સુરતથી જામનગર જઈ રહ્યાં હોવાની વિગતો સાંપડી હતી.