ભરૂચ ખાતે માં વાત્સલ્ય કાર્ડ અને ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરાવતા ધારાસભ્ય દુષ્યંત પટેલ
BY Connect Gujarat11 Jun 2016 1:04 PM GMT
X
Connect Gujarat11 Jun 2016 1:04 PM GMT
ભરૂચ નાં ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા માં વાત્સલ્ય તેમજ ઉજ્જવલા યોજનાઓ પ્રારંભ કરાવી તેનો લાભ લાભાર્થીઓ ને મળી રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.
ભરૂચ જીલ્લા ના પ્રભારી મંત્રી પ્રદીપસિંહ જાડેજા ના જન્મદિન પ્રસંગે ધારાસભ્ય દુષ્યંત પટેલ દ્વારા ઉત્સવ ગેસ એજન્સી ખાતે ઉજ્જવલા યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો,આ પ્રસંગે પુરવઠા અધિકારી, ગેસ એજન્સી ના સંચાલક સુનીલ પટેલ, ભાજપ ના આગેવાનો સહિત લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે શહેર નાં રોટરી ક્લબ ખાતે ઇનર વ્હીલ ક્લબ નાં સહયોગથી 140 જેટલા લાભાર્થીઓ ને માં વાત્સલ્ય કાર્ડ બનાવી આપવામાં આવ્યા હતા અને બે દિવસ ચાલનાર આ કામગીરી નો વધુમાં વધુ લાભાર્થીઓ ને લાભ લેવા માટે ધારાસભ્ય દુષ્યંત પટેલે સૌ ને અપીલ કરી હતી.
Next Story