ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના કાફલા થયેલા હુમલાનો કરાયો વિરોધ

New Update
ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના કાફલા થયેલા હુમલાનો કરાયો વિરોધ

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બનાસકાંઠાની મુલાકાત દરમિયાન તેઓના કાફલા પર થયેલા હુમલાને વખોડી કાઢીને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

publive-image

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા ભાજપ સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, અને પુતળા દહન કરતા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાવ્યા હતા, જોકે સરકાર વિરુદ્ધ કોંગ્રેસના કાર્યકરોએ સુત્રોચ્ચાર કરીને કાગળ અને ઘાસ સળગાવી વિરોધ પ્રદર્શન કર્યુ હતુ.

publive-image

આ વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પ્રવક્તા નાઝુ ફડવાલા સહિતના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરાયો

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા. ભગવાન સોમનાથ મહાદેવને

New Update
vlcsnap-2025-08-11-19h51m22s297

શ્રાવણના તૃતિય સોમવારે આદિ જ્યોતીર્લિંગ સોમનાથ મહાદેવને ચંદન શૃંગાર કરવામાં આવેલ ભક્તો મહાદેવના દર્શન પૂજન અર્ચન કરી ધન્ય બન્યા હતા.

ભગવાન સોમનાથ મહાદેવને આજે ખાસ શ્રાવણી સોમવારને દિવસે વિશેષ ચંદન શૃંગાર કરવામાં આવેલો હતો. 

ચંદન શિતળતા પ્રદાન કરનનારૂ માનવામાં આવે છે, જેથી મહાદેવ વિશ્વ શાંતિ અને કલ્યાણના ભાવ સાથે આ ખાસ શૃંગાર પૂજારી વૃંદ દ્વારા તૈયાર કરવામાં આવેલ. સાથે જ વિવિધ પૂષ્પો ગુલાબ ગલગોટા મોગરા સહિતના ફુલો અને ફુલહારોનો ઉપયોગ કરવામાં આવેલ હતો. આજરોજ 45 ધ્વજાપૂજન તેમજ 62 સોમેશ્વર મહાપૂજન, 715 રૂદ્રાભિષેક પૂજા-પાઠ કરવામાં આવ્યો હતો.  જેનો લાભ લઇ ભક્તો ધન્ય બન્યા હતા.